
■ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ કલકતામાં પ્રદર્શનકારીઓની લીધી મુલાકાત,જુઓ વિડીયો
SIR: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ હાલ મતદાર યાદીમાંથી લાખો નામો કાઢી નાખવાના મામલે કોલકાતાના પાર્ક સર્કસ મેદાન ખાતે
છેલ્લા 40 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે આ આંદોલન મુખ્યત્વે ચૂંટણી પંચ (ECI) ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે છે, જેણે આશરે 2.7 મિલિયન મતદારોના નામ કાઢી નાખ્યા છે અથવા તેમની નાગરિકતાને “અંડર એડજ્યુડિકેશન” શ્રેણીમાં મૂકી છે.
પ્રદશનકારીઓની માંગ છે કે મતદાર યાદીમાંથી દૂર કરાયેલા તમામ 2.7 મિલિયન માન્ય મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે.
અહીં ઘરણા કરી રહેલા લોકો “સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન” ને પક્ષપાતી માની રહ્યા છે, જેમાં IIM કોલકાતાના પ્રોફેસરો, ડોકટરો અને પત્રકારો જેવા અગ્રણી નાગરિકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનું જણાવી રહયા છે તેઓ આ દેશના કાયદેસર નાગરિક છે અને તેમનો મતદાનનો અધિકાર છીનવી લેવો એ લોકશાહીની વિરુદ્ધ હોવાનું જણાવી ન્યાયની માંગ કરી રહયા છે.
આ વિરોધ પ્રદર્શનો હવે ફક્ત સ્થાનિક મુદ્દો નથી રહ્યો, પરંતુ બંગાળ ચૂંટણી 2026 ના કેન્દ્ર સ્થાને આવી ગયો છે, જ્યાં લોકો “ન્યાય” અને તેમના નાગરિક અધિકારોના રક્ષણની માંગ કરી રહ્યા છે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ખૂબજ મોટો ચાહક વર્ગ ધરાવતું મીડિયા પ્લેટફોર્મ The Gujarat Reportના MD અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની જીરો ગ્રાઉન્ડ રીપોટિંગ માટે બંગાળમાં છે ત્યારે તેઓ કલકત્તા ખાતે SIR વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનકારીઓને મળવા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ખરેખર હકીકત શુ છે? તેની જાણકારી મેળવી હતી વિડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








