
Modi: પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં વૃદ્ધોના આશીર્વાદ મેળવવાનો પોતાનો લહાવો ભાવનાત્મક રીતે વ્યક્ત કર્યો, ખાસ કરીને દાદા-દાદીની ઉંમરના વૃદ્ધોના.તેમણે આ નિઃસ્વાર્થ પ્રેમને પોતાની “મૂડી” ગણાવી અને તેમના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
સિલિગુડીના આ અદ્ભુત દ્રશ્યનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભાગ્યે જ કોઈને આવો લહાવો મળે છે હવે મોદીજીના આ ભાષણને લઈ કોમેન્ટ ઉઠી રહી છે કે ખુદ મોદીજી હવે જવાન રહયા નથી તેઓ પોતેજ દાદાજીની ઉંમરના છે ત્યારે પોતાની જ ઉંમરના બુઝુર્ગોને મોદીજી કઈ રીતે દાદા-દાદી કહી શકે? આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો મજા લઈ રહયા છે ત્યારે સિનિયર પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસે આ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








