
Madhu Kishwar: લેખક અને સામાજિક કાર્યકર્તા મધુ કિશ્વર હમણાં હમણાં પીએમ નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કરી ખૂબ ચર્ચામાં આવ્યા છે તેઓએ લખેલા “મોદીનામા” પુસ્તક મામલે ઘણા નવા ખુલાસા કર્યા છે અને The Gujarat Report મીડિયા પ્લેટફોર્મના માલિક-તંત્રી અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીતમાં અનેક નવી વાતો જાહેર કરી છે,જેમાં મહારાષ્ટ્રમાં તેમના પુસ્તક ‘મોદીનામા’નું મરાઠી ભાષામાં થયેલા ટ્રાન્સલેશન અને પછી જેટલીની હાજરીમાં કરાયેલા તાયફા અને પોતાને ક્રેડિટ ન મળે તે પ્રકારના થયેલા પ્રયાસો અંગે ખુલાસા કર્યા હતા.
તેમણે કહ્યુ કે મારા નામની ક્રેડિટ છીનવવા સહિત જેટલીને ફાઈવસ્ટાર હોટલમાં સ્ટે અપાયો અને પોતાને ગેસ્ટ હાઉસમાં સામાન્ય રૂમ અપાઈ મોટા મોટા અખબારોમાં આર્ટિકલ મોકલ્યા અને વાહવાહી મેળવવાનો પ્રયાસ થયો હતો.
એક સમયે મોદીના કટ્ટર સમર્થક રહેલા મધુ કિશ્વરે પોતાના ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન વિરુદ્ધ ગંભીર અને વિવાદાસ્પદ આરોપો લગાવ્યા છે, જેમાં નવા ખુલાસા કર્યા છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!





