
ભોપાલ ગેસ દુર્ઘટનાને 40 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કૅમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.
કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં. હવે એક વખત ફરીથી ભોપાલ ગેસકાંડ પછી બચેલા ઝેરી કચરાને લઈને વિરોધ ઉભો થયો છે. 40 વર્ષથી ભોપાલમાં પડેલા કેમિકલવાળા કચરાને સરકાર દ્વારા ત્યાંથી ખસેડીને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર પીથમપુરમાં લઈ જેવામાં આવ્યો છે.
આ કચરાને પીથમપુરમાં લાવતાની સાથે જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. આ વિરોધ દરમિયાન બે લોકોએ પોતાની જાતને આગ લગાવી દેતા તેમણે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જેવા પડ્યા છે. શુક્રવાર સવારથી જ પીથમપુરમાં બજારો બંધ છે. આ વિરોધમાં બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. નાની-નાની દુકાનોથી માંડી મોટા વેપાર-ધંધાઓ બંધ પાળી રહ્યા છે.
VIDEO | Madhya Pradesh: Police detain a few people who attempted self-immolation during a protest in Pithampur against dumping of toxic waste in from Bhopal’s Union Carbide plant.
Shops and markets at Pithampur in Dhar district remained closed today amid a bandh call against the… pic.twitter.com/KJB8FpgDAB
— Press Trust of India (@PTI_News) January 3, 2025
રસ્તાઓ પર ચક્કાજામ
અમુક સમર્થકોએ ધનગઢ, બસ સ્ટેન્ડ અને આઝાદ ચોક પર પહોંચી રસ્તાઓ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ત્યાં ઉપસ્થિત પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. પોલીસે અમુક સમર્થકો પર લાઠીચાર્જ કર્યો હતો. તદુપરાંત આ વિરોધ પ્રદર્શનમાં આમરણ ઉપવાસ પર બેઠેલા સંદીપ રઘુવંશીના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સૈલાનાના ધારાસભ્ય કમલેશ ડોડિયાર પણ ઘરણાં કરી રહ્યા છે. જાહેર પરિવહન તેમજ ઔદ્યૌગિક ક્ષેત્રોમાં કારખાનાઓ ચાલુ છે. વિસ્તારમાં પોલીસ દળ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત છે.
ધારમાં લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસના ધારાસભ્યે પૂછ્યું છે કે, શું મધ્યપ્રદેશમાં લોકતંત્ર છે? પીથમપુરમાં યુનિયન કાર્બાઈડના ઝેરી કચરાની ઠાલવણી અને સળગાવવાનો વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. એમપીપીએસસી વિરૂદ્ધ આંદોલન કરતાં યુવાનોને જેલભેગા કર્યા છે.
Indore, Madhya Pradesh: Two youths set themselves ablaze in order to protest against burning of Union Carbide waste in Pithampur. They suffered severe burns and are undergoing treatment at Choithram Hospital pic.twitter.com/6PGOvl5b08
— IANS (@ians_india) January 3, 2025