દિલ્હી-NCR માં ભારે વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, ટ્રાફિક જામ, જુઓ તસ્વીરો

  • India
  • May 2, 2025
  • 1 Comments

દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આજે સવારે હવામાન બદલાયું છે. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સવારે વરસાદથી દિલ્હી-એનસીઆરમાં ભીષણ ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે આવેલા વાવાઝોડાને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા છે.

દિલ્હી-NCRમાં વહેલી સવારે ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી હતી. સતત ભારે વરસાદને કારણે દિલ્હીના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.

Delhi NCR Rain Photos Trees uprooted in storm in Delhi NCR

દિલ્હીમાં સવારે 3 વાગ્યા પછી ઝરમર વરસાદ શરૂ થયો. જે બાદ ITO, મંડી હાઉસ અને મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ પછી, પવનની તીવ્રતા વધી ગઈ અને અંધકાર વચ્ચે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરુ થઈ ગયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 મે થી 7 મે દરમિયાન તોફાન અને વરસાદની સંભાવના છે. આ કારણે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

રસ્તા પર પાણી ભરાઈ ગયા

Delhi NCR Rain Photos Trees uprooted in storm in Delhi NCR

શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર વાવાઝોડા અને ભારે પવનને કારણે કામગીરી ખોરવાઈ ગઈ હોવાથી ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે, એક ફ્લાઇટ અમદાવાદ અને બે ફ્લાઇટ જયપુર તરફ વાળવામાં આવી હતી અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ આ માહિતી આપી છે.

આજે વહેલી સવારે ગાઝિયાબાદમાં પણ હવામાન બદલાયું હતુ. પહેલા એક જોરદાર તોફાન આવ્યું. આ પછી વાદળો ગર્જના કરવા લાગ્યા અને પાંચ વાગ્યે વરસાદ શરૂ થઈ ગયો હતો. અહીં તાપમાન 4 ડીગ્રી નીચું ગયું છે. હવામાનશાસ્ત્રી ડૉ. યુપી શાહીએ જણાવ્યું હતું કે ભારે પવનને કારણે પશ્ચિમી વિક્ષેપની પ્રવૃત્તિ અચાનક વધી ગઈ હતી. આગામી ચાર-પાંચ દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે. જ્યાં મહત્તમ તાપમાન 40 ને પાર કરી રહ્યું હતું. હવે તે 30૦-32 ની આસપાસ રહેશે. રવિવાર અને સોમવારે પણ વરસાદની શક્યતા છે. પવનની ગતિ વધવાને કારણે, સૂર્ય નીકળશે ત્યારે પણ ગરમીથી રાહત મળશે.

આ પણ વાંચોઃ

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

 

 

Related Posts

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
  • June 22, 2026

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર સવારના ૭ વાગ્યાના દ્રશ્યો આજના બદલાતા ભારતની એક કડવી અને વાસ્તવિક તસવીર રજૂ કરે છે. ૨૨ વર્ષની પ્રીતિ જેવી યુવતીઓ માટે, જે ઉત્તર…

Continue reading
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
  • June 22, 2026

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 2 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 2 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 5 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 8 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 11 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?