
Dharmendra Deol Health Update: આજે સવારથીજ મીડિયામાં ધર્મેન્દ્રના મૃત્યુના સમાચારો આગની જેમાં ફેલાતાં બોલિવૂડ સહિત ચાહકો આઘાતમાં મુકાઈ ગયા હતા.ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હોવાના સમાચાર વહેતા થયા હતા.
બીજી તરફ ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર ફેલાઈ જતા તેઓની પુત્રી એશા દેઓલ અને પત્ની હેમા માલિનીએ આ સમાચાર માત્ર અફવા ગણાવ્યા હતા અને સમાચારો ફેલાવતા માધ્યમોની ટીકા કરી હતી તેઓએ કહ્યું ધર્મેન્દ્રની તબિયત સ્થિર છે.
ઈશાએ લખ્યું, “મીડિયા ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરે.મારા પિતાની તબિયત સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.અમે બધાને વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારને વ્યક્તિગત સમય આપો,પપ્પાના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા બદલ આભાર.”
હેમાએ પણ ટ્વીટ કરી ગુસ્સો વ્યક્ત કર્યો
પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા હેમાએ લખ્યું, “જે થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે.જવાબદાર ચેનલો આ રીતે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે?જ્યારે કે તેઓની સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સ્વસ્થ થઈ રહયા છે.આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર વર્તન છે.કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો આદર કરો.”
ઉલ્લેખનીય છે કે અભિનેતા ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ ગઈકાલે પણ તા. 10 નવેમ્બરની સાંજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિનેતાનો હસતો ફોટો શેર કર્યો હતો.
ફોટામાં, તેમણે લખ્યું હતું કે, “હું ધરમજી માટે ચિંતા દર્શાવનારા દરેકનો આભાર માનું છું, જે હાલમાં હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે.તેમનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમે બધા તેમની સાથે છીએ. હું તમને બધાને તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું.”આમ,ધર્મેન્દ્રની મૃત્યુની ખબર અફવા હોવાની તેમના પરિવારે ચોખવટ કરી છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









