
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ANIના અહેવાલ મુજબ, મહા કુંભ મેળા વિસ્તાર નજીક આગ લાગી છે. આગની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. મહાકુંભના સેક્ટર નંબર 19 માં ભીષણ આગ લાગી છે. આગને કારણે ઘણા તંબુ બળી ગયા છે, અને ઘણા લોકો દાઝી ગયાના અહેવાલ છે. આગને કારણે મેળા વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. કેમ્પમાં રાખવામાં આવેલા ઘણા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયા છે.
મેળા વિસ્તારમાં લાગેલી આ આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. જેના કારણે મેળામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઉપરાંત, અનેક ફાયરની ટીમો દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.
અત્યાર સુધીમાં, મહાકુંભ વિસ્તારના ટેન્ટ સિટીમાં લાગેલી ભીષણ આગમાં 20 થી 25 ટેન્ટ બળી ગયા છે. સ્વસ્તિક દરવાજા પાસે અને રેલ્વે બ્રિજ નીચે જ્યાં અખાડા આવેલા છે ત્યાં આગ લાગી છે. ફાયર વિભાગે સેક્ટર 19 ના વિસ્તારને સીલ કરી દીધો છે. સિલિન્ડરો હજુ પણ ફૂટી રહ્યા છે. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ભારે પવનને કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ભારે પવનને કારણે, એક તંબુ બીજા તંબુમાં આગ લાગી રહી છે. કહેવામાં આવી રહ્યું છે, કે ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી. આ પછી આગ ઘણા વધુ તંબુઓને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. રસોડામાં રાખેલા સિલિન્ડરના વિસ્ફોટને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે.
આ પણ વાંચોઃ YouTubeમાં વિડિયો અપ્લોડ કરતાં પહેલા વિચાર કરજો, ભૂલ કરશો તો થઈ શકે છે એકાઉન્ટ બંધ