સરકારના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: ખુદ BJP સાંસદે કબૂલ્યું

  • Gujarat
  • October 31, 2025
  • 0 Comments

BJP MP Mansukh Vasava Corruption Allegation: રાજ્યમાં નવા નક્કોર રોડ બની જાય છે અને તકલાદી કામને લઈ થોડા જ સમયમાં તૂટી પણ જાય છે અને પછી સર્જાય છે ખાડાઓનું સામ્રાજ્ય. સમગ્ર રાજ્યમાં હાલ ઉબડ ખાબડ રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહયા છે ત્યારે પ્રજાએ ભરેલા વેરાના રૂપિયામાંથી ભરૂચ જિલ્લામાં બનાવવામાં આવી રહેલા રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કરી છે.

તેઓ નેત્રગ અને ઝઘડીયા તાલુકાના લોકસંપર્ક પ્રવાસે ગયા હતા આ સમયે ત્યાં બનેલા રોડની સ્થળ તપાસ કરતા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાયું હતું અને બાદમાં રોડ બનાવનારા કોન્ટ્રાકટરે પણ કબૂલાત કરતા સાંસદ મનુસખ વસાવાએ જણાવ્યું કે, રાજકીય વગ ધરાવનારા લોકો કોન્ટ્રાકટર બની ગયા છે અને તેઓ જ ભ્રષ્ટાચાર આચરી રહયા છે.

તેઓએ એમ પણ કહ્યું કે તેઓ પોતે સરકારના વિરોધી નથી પરંતુ સરકારી પૈસાથી જે હલકુ કામ થાય છે તેનો વિરોધ કરી રહયા છે. આ રોડમાં બે મહિનામાં જ તિરાડ પડી જાય તેવુ કામ આ કોન્ટ્રાકટરે કર્યું છે જેણે ભરૂચમાં પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે. અહીં ડામરને બદલે તે કોન્ટ્રાકટરોએ ઓઈલનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. જવાબદાર અધિકારીઓએ પણ સ્થળ તપાસ કરી છે પણ પેટા કોન્ટ્રાકટર સામે પગલાં લઈ શકાય તેમ નહી હોવાથી સંબધિત વિભાગના ઈજનેર સામે પગલા ભરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે આખાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે. રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એકથી બીજા સ્થળે જતાં આંખે પાણી આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉઘાડી કરી દીધી છે. અત્યારે ખાડાખબડા વાળા રોડને લીધે જ સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે.

આ અગાઉ પણ પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, ‘એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર 30 પૈસાનું જ થાય છે. આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે તેમ કહી તેઓએ પણ પોલ ખોલી હતી હવે મનસુખ વસાવા કહી રહ્યા છે ભાજપના રાજમાં રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરી રહયા છે આમ હવે એક પછી એક ભાજપના સાંસદ, ધારાસભ્ય,નેતાઓ હવે ખુલીને સરકાર સામે નિવેદનબાજી કરતાં થયા હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.

આ પણ વાંચો:

Gujarat News: ખેડૂતોને મગફળીમાં રૂ. 20 હજાર કરોડનું નુકસાન, કુદરતની થપાટ પછી વેપારીઓ, સરકાર અને તેલ લોબીની ધોળા દિવસે લૂંટ

Bihar NDA Manifesto: બિહારમાં NDAનો ચૂંટણી ઢંઢેરો, જુઓ શું આપ્યા વચનો!

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 4 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 12 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ