
Corona Cases in Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. નવા વેરિઅન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા હોવા છતાં, આ વેરિઅન્ટને ચિંતાજનક ગણવામાં આવ્યું નથી. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને વલસાડમાં નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 100ને પાર થઇ ગયો છે.
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત
અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે, જેની સાથે શહેરમાં હાલ 76 એક્ટિવ કેસ છે. જેમાંથધી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આ મહિને કુલ 89 કેસ નોંધાયા છે. 13 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.
રાજકોટમાં નવા ચાર કેસ
રાજકોટ શહેરમાં પણ કોરોનાના ચાર નવા કેસ સામે આવ્યા છે. આ કેસ શિવપાર્ક, ગોવિંદ નગર, શિવાજી પાર્ક અને સિલ્વર સાઈન વિસ્તારમાં નોંધાયા છે. ચારેય દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 20 ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરાઈ છે, જેથી જરૂર પડે તો તાત્કાલિક સારવાર આપી શકાય.
જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી
જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમાં ઝાંઝરડા રોડ પર રહેતા વૃદ્ધને કોરોના થયો છે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ દર્દીને
સાત દિવસ પહેલા કોરોના પોઝિટિવ નોંધાયો હતો. જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દી હોમ આઈસોલેટ છે.
આ પણ વાંચો:
Mumbai એરપોર્ટ પર બોમ્બની ધમકી આપનાર ઝડપાયો, કર્યો ચોંકાવનારો ખુલાસો
AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા
Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?
UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો
Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો
‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો
યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’
Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ
Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?
NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક
તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર
Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?
‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar