
Iran War: ઈરાન ઉપર એક તરફી હુમલો થયાનું વિશ્વભરના લોકો કહી રહયા છે કારણકે જે પરમાણુ મામલે વાટાઘાટો કરવા તૈયાર હતા છતાં હુમલો થયો તે વાત સૌને વધારે પડતી લાગી રહી છે.ઈરાન કેમ અમેરિકા, ઈઝરાયેલ સહિત અન્ય મુસ્લિમ દેશોને પસંદ ન હતું તે વાત હવે સામે આવી રહી છે.
ઈરાનમાં કુલ નાગરિક મૃત્યુઆંક 742 થઈ ગયો છે જેમાં 176 બાળકોનો ભોગ લેવાયો છે જ્યારે 750 નાગરિકો ઘાયલ થયા છે,ઈઝરાયેલ અને અમેરિકાએ નિર્દયતાથી સ્કૂલ ઉપર પણ બૉમ્બ વરસાવ્યા છેઈરાનની મિનબની ગર્લ્સ સ્કૂલ પર મિસાઈલ પડી તેમાં 100થી વધુ બાળાઓના મોત થયા. આ સમાચારે વિશ્વને હચમચાવી દીધુ છે આ નિર્દોષ બાળકોનો શુ વાંક હતો?
બીજી તરફ હવે સવાલો ઉઠતા અમેરિકા દાવો કરી રહ્યું છે કે ઈરાનની ન્યુક્લિયર કેપિસિટી અને પ્રોક્સી હુમલાઓ રોકવા માટે તેઓએ યુદ્ધ છેડ્યું હવે અમેરિકાની સંસદમાં જ તેઓ સામે સવાલ ઉઠી રહ્યા છે કે શુ ઈરાન હુમલો કરશે એવી માહિતી હતી? જો ન હતી તો પ્રિવેન્ટીવ વોરના નિયમથી અમેરિકાએ યુદ્ધ છેડી દેવું કેટલું યોગ્ય કહેવાય? જો આ મામલે ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસ્ટ સુધી પહોંચશે તો વર્લ્ડ ઓર્ડરમાં નવા માપદંડો પણ ઉભા થઈ શકે છે.
કારણ કે સવાલ ઉભો થાય છે કે એક દેશને પરમાણું કાર્યક્રમની આશંકાના આધારે સ્ટ્રાઈક કરવાની છૂટ મળી જાય? આ બહુ ગંભીર સ્થિતિ છે.આજે ઇઝરાયલ, અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધનો ચોથો દિવસ છે. દરમિયાન, આજે સોમવારે રાત્રે ઓસ્ટ્રેલિયામાં એશિયન મહિલા ફૂટબોલ કપના ઉદ્ઘાટન મેચમાં ઇરાની મહિલા ટીમે પોતાનું રાષ્ટ્રગીત ગાયું ન હતું. ખેલાડીઓ લાઇનમાં ઉભા રહ્યા, પરંતુ રાષ્ટ્રગીત દરમિયાન મૌન રહ્યા અને સીધા આગળ જોતા રહ્યા.ટીમના કોચ, મરઝીહ જાફરી પણ તેમના ખેલાડીઓના મૌન પર હસતા હતા.આ પગલાને તાજેતરના યુએસ-ઇઝરાયલી હુમલાઓ અને ઇરાની નેતાઓના મૃત્યુના વિરોધ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ટીમના કેપ્ટન ઝહરા ઘનબારી અને કોચને મીડિયા દ્વારા ખામેનીના મૃત્યુ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમને જવાબ આપવાની મંજૂરી આપવામાં આવી નહોતી.આમ વિશ્વભરમાં હવે ઈરાન ઉપર અત્યાચાર મામલો ચર્ચામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને વરિષ્ઠ પત્રકાર ડો.રાકેશ પાઠકે પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે પ્રસ્તુત છે વિડીયો.






