
Kheda News: નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં એક દુ:ખદ પરંતુ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં 18 વર્ષીય યુવકના અકાળે મૃત્યુ બાદ તેના પરિવારે તેની પ્રિય વસ્તુઓ સાથે તેનું ગમતું બાઇક પણ કબરમાં દફનાવી દીધું. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભાવુક ચર્ચાઓ જન્માવી છે.
અકસ્માતમાં યુવકનું મોત
ઉત્તરસંડાના ખ્રિસ્તી ફળીયામાં રહેતા સંજયભાઈ સુલેમાનભાઈ પરમારના 18 વર્ષીય પુત્ર ક્રિશે તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષામાં સફળતા મેળવી હતી અને BCAનો અભ્યાસ કરવાની તૈયારીમાં હતો. ગત 26 મેના રોજ તે આણંદ ખાતે રજિસ્ટ્રેશન કરવા માટે કોલેજમાં આવ્યો હતો. એ પછી મિત્રો-સગા-સંબંધીઓને મળ્યા બાદ રાત્રિના 8 વાગ્યાની આસપાસ તે તેના ઘર તરફ પરત જઈ રહ્યો હતો.
જેમાં ઉત્તરસંડા પાસે જ તે પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ તેનું બાઈક ધડાકાભેર અથડાયું હતું. આ બનાવમાં તેને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ તુરંત જ તેને આણંદ-લાંભવેલ રોડ પરની જાણીતી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.
આખરે શનિવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. તેના મોતને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. પરિવારે અંતિમ વિધિ વેળાએ મૃતક સાથે ચપ્પલ, ચશ્મા, કપડાં સહિત તેનું ગમતુ બાઇક પણ દફનાવી દીધુ હતુ.
‘ગમતું બાઇક તેની સાથે જ રહે…’
પિતા સંજયભાઈએ જણાવ્યું, “ક્રિશને બાઇકનો ખૂબ શોખ હતો. અમારી પાસે કાર હોવા છતાં તે હંમેશાં બાઇક લઈને જ ફરતો. અમે ઇચ્છતા હતા કે તેનું ગમતું બાઇક તેની સાથે જ રહે. એટલે અમે તેનાં ચપ્પલ, ચશ્માં, કપડાં ઉપરાંત તેનું બાઇક પણ તેની કબરમાં દફનાવ્યું.” તેમણે ઉમેર્યું કે, આ રીતે તેઓએ ક્રિશની આખરી ઇચ્છા પૂરી કરી.
સ્થાનિકો શોકની લાગણી
આ ઘટનાએ ઉત્તરસંડા અને આજુબાજુના વિસ્તારોમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પરિવારના આ નિર્ણયને લોકો એક બાજુ ભાવુક નજરે જુએ છે, તો બીજી બાજુ ક્રિશના બાઇક પ્રત્યેના પ્રેમની ચર્ચા પણ થઈ રહી છે.
આ ઘટના દર્શાવે છે કે, પરિવારજનો પોતાના સ્વજનની યાદોને કેવી રીતે અમર રાખવા માગે છે. ક્રિશના અકાળે અવસાનથી ઉત્તરસંડા સમુદાયમાં શોકની લાગણી છે, અને તેના પરિવારનો આ નિર્ણય લોકોના હૃદયને સ્પર્શી ગયો છે.
આ પણ વાંચો:
વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ
Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો
Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?
TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!
CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના
Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!
Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?
UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?