Kutch: નરેન્દ્ર મોદીના ઠાલા વચનો, કચ્છને સિંધુ નદીના પાણીનો હક ન મળ્યો

Kutch: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને અનેક મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તેઓ સત્તાના શીખરે ચઢ્યા બાદ તેઓ પોતે આપેલા વચનોને ભુલી ગયા છે. ત્યારે 21 વર્ષ પહેલા કચ્છના લોકોને સિંધુ નદીનું પાણી આપવાનું વચન આપ્યુ હતું.

કચ્છને સિંધુ નદીના પાણીનો હક ન મળ્યો

કચ્છએ સિંધુ તટપ્રદેશનો ભાગ છે પાણી એ કચ્છનો પ્રાણપ્રશ્ન છે. ત્યારે 1960 માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર થયા એમાં કચ્છનો સિંધુ નદીના પાણી પરનો અધિકાર છીનવાઈ ગયો. આ કરારમાં પશ્ચિમની સિંધુ સહિતની ત્રણેય નદીઓનાં પાણીના 100 ટકા ઉપયોગનો પૂર્ણ અધિકાર પાકિસ્તાનને મળવાને કારણે કચ્છનો અધિકાર છીનવાઈ ગયો હતો. જો કે,નરેન્દ્ર મોદીએ જ 2002માં કચ્છને સિંધુજળ મળવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં સિંધુનાં પાણી ઉપર કચ્છના અધિકારની વાત છેડીને કેન્દ્ર પાસેથી ન્યાય માગ્યો હતો.

નરેન્દ્ર મોદીના વચનો અધૂરા

24 મી જાન્યુંઆરી 2003 ના દિવસે ગાંધીનગરમા ભારતીય કિસાન સંઘની ઓફિસના ઉદ્ઘાટન વખતે નરેન્દ્ર મોદીએ સિંન્ધુ નદીના પાણી ઉપર કચ્છ-બનાસકાંઠા પ્રદેશના હક્કોનો સ્વીકાર કરનારા આઝાદી પહેલાના બે ઐતિહાસિક દસ્તાવેજોની જાણકારી આપી જણાવ્યું કે પાકિસ્તાન સરકાર સાથે ભારત સરકાર મારફત આ અંગેની રજૂઆત માટે ગુજરાતે આગ્રહ રાખ્યો છે. આ હક્ક મળશે તો સિંધુના પાણીથી કચ્છ અને ઉત્તર ગુજરાતની સૂકી ધરતીને ઉપયોગી જળસ્રોત પણ પ્રાપ્ત થશે. ગુજરાત પોતાનો આ અધિકારને જતો કરવાનું નથી તેમ તેમણે જણાવ્યું હતું.

સિંધુ નદીના પાણી ઉપર કચ્છનો અધિકાર 

શરૂઆતમાં કચ્છમાં વહેતી હતી. ઉત્તર, પશ્ચિમ કચ્છમાં ચોખા સિંચાઈથી પાકતા હતા સર્વે ઓફ ઈન્ડીયાનાં નકશામાં કચ્છના ઉત્તર પશ્ચિમિ વિસ્તારોમાં સિંધુનો પ્રવાહ બતાવે છે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સિંધુ નદીના પાણી ઉપર કચ્છનો અધિકાર છે. ભારત પાકિસ્તાન જળવિવાદના નિરાકરણ વખતે કચ્છને સિંધુના પાણી મળ્યાં નહિ. કેન્દ્ર સરકારે સિંધુ તટપ્રદેશના તરીકે કચ્છ માટે પાણીનો હિસ્સો માંગવો જોઈએ.

લોહી અને પાણી એક સાથે ન વહી શકે એવું પાકિસ્તાન કહે છે પણ કચ્છમાં આંદોલનમાં પાણીનું લોહી થયું. છતા પણ આજે પણ હજુ સુધી પાણી નથી મળ્યું. રાજસ્થાન સિંધુના તટપ્રદેશનો ભાગ નહિં હોવા છતાં પાણી અપાયું છે પરંતુ કચ્છને નથી અપાયું. કચ્છ સિંધુ તટપ્રદેશનો ભાગ હોવાનું અને સિંધુનાં પાણી ઉપર કાયદેસરનો અધિકાર વિશ્વબેન્કના ચૂકાદામાં છે. કચ્છએ સિંધુ નદીનાં છેડે હોવા છતા પાણીથી વચિત રહ્યું છે.

1960નાં સિંધુ જળકરાર સામે કચ્છમાં આંદોલનો થયા જે બાદ કોટરી બેરેજની ફુલેલી કેનાલ મારફતે કચ્છ સુધી પાણી મેળવવાનો સ્વીકાર કર્યો ત્યારે પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતુ કે, કેન્દ્રમાં મોસાળે જમણ અને માં પીરસનારી આમ કચ્છને પાણી મળી શકે તેમ હોવા છતા કચ્છને પાણી આપવામા આવ્યું નથી.  ત્યારે  નરેન્દ્ર મોદીએ શું વાત કરી હતી અને સિંધુ નદીના પાણી માટે અત્યાર સુધીમાં શું શું થયું તેના વિશે જાણવા માટે જુઓ ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિરિઝ કાલચક્રનો ભાગ 17 નો વીડિિયો..

આ પણ વાંચો:

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન

Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

ચૂંટણી સંબંધિ વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોન મરાવી રહ્યું છે તરાપ?

  • Related Posts

    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું
    • February 2, 2026

    Gandhiji: મહાત્મા ગાંધીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેઓનું જીવન સાદગીથી ભરેલું હતું અને દેશ આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવ્યું હતું પણ આજે…

    Continue reading
    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
    • February 1, 2026

    BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

    • February 2, 2026
    • 2 views
    Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

    • February 2, 2026
    • 10 views
    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

    • February 2, 2026
    • 8 views
    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    • February 1, 2026
    • 7 views
    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    • February 1, 2026
    • 14 views
    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    • February 1, 2026
    • 11 views
    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ