મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

Mahesh Vasava Resignation: ભાજપના નેતાઓમાં ભરેલી હવા બહાર નીકળી રહી છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ ડો. ભીમરાવ આંબેડરની જન્મજયંતિ પર રાજીનામું આપી દેતાં ભાજપમાં હડકંપ મચ્યો છે. મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમને કહ્યું કે પક્ષમાં ન્યાય મળતો નથી. મતલબ તેમનું પક્ષમાં કશું જ ઉપજતું ન હતુ. તેમના કામ થતાં ન હતા. તેઓએ કહ્યું ભાજપ કાયદામાં માનતી નથી. આ બધાં કારણોસર મહેશ વસાવાએ રાજીનામુ આપી દીધું છે.

ત્યારે મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપમાં ઉહાપોહ છે. કારણે મોટી પાર્ટીમાં સૌ કોઈ જોડતાં હોય છે. ભાજપ, આપ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડવવા તરસતાં હોય છે. ત્યારે આ રીતે કોઈ આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા ભાજપમાંથી રાજીનામુ આપે ત્યારે અનેક તર્કવિતર્ક થાય તે સ્વાભાવિક છે.

  ભાજપ આદિવાસી વિસ્તારોમાં ધ્યાન આપતી નથી

મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું તેની પાછળના કારણો વિશે તેમણે જાહેરમાં ઉલ્લેખ કર્યો છે. તેમનું મુખ્ય કારણ હતું કે ભાજપ બંધારણનું પાલન નથી કરતી અને આદિવાસી વિસ્તારોમાં વિકાસના મુદ્દે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે પક્ષને અનેક પત્રો લખીને આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે રાજીનામું આપી દીધુ છે.

ઉપરાંત રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી મહેશ વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રભાવશાળી નેતા ગણાય છે, અને તેમનું રાજીનામું આગામી ચૂંટણીઓમાં આદિવાસી મતદારોની ગતિશીલતા પર અસર કરી શકે છે. તેમનો નિર્ણય આદિવાસી સમુદાયના હિતો અને પક્ષની અંદરની રાજકીય ગણતરીઓ સાથે જોડાયેલો હોઈ શકે, જેમાં તેમને લાગ્યું હશે કે તેમના રાજકીય લક્ષ્યો ભાજપમાં સધાય તેમ નથી.

જોકે આ રાજીનામાની પાછળનું ‘ગણિત’ એટલે કે ચોક્કસ રાજકીય ગણતરીઓ કે આંતરિક વિવાદોની વધુ ઊંડી વિગતો જાહેર થઈ નથી. તેમના આગળના પગલાં, જેમ કે નવા પક્ષમાં જોડાવું કે સ્વતંત્ર રાજકીય પ્રવૃત્તિ, તેની સ્પષ્ટતા આપી શકે છે.

મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા

મનુસુખ વસાવાએ મહેશ વસાવાના રાજીનામાં વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયા એક વર્ષ થયું. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે દરેક મોટા નેતાઓ સાથે પરામર્શ કર્યું હતું અને અમારી વિચારધારાની સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સાથે કામ પણ કર્યું હતું. પાર્ટી સંગઠનની બેઠકમાં પણ તેમને બોલાવતા હતાં, ઘણી બેઠકમાં તે આવતા ઘણી બેઠકમાં ન આવતાં. પરંતુ તેમણે ઉતાવળુ પગલું ભરી લીધુ છે. આ સિવાય મનસુખ વસાવાએ મહેશ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, ‘મહેશ વસાવા સાત જન્મ લે તો પણ ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે.’

આ પણ વાંચો:

Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

 

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 8 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 10 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 16 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 30 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો