મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

  • Gujarat
  • April 15, 2025
  • 5 Comments
Mahesh Vasava Resignation: ભાજપના નેતાઓમાં ભરેલી હવા બહાર નીકળી રહી છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ ડો. ભીમરાવ આંબેડરની જન્મજયંતિ પર રાજીનામું આપી દેતાં ભાજપમાં હડકંપ મચ્યો છે. મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમને કહ્યું કે પક્ષમાં ન્યાય મળતો નથી. મતલબ તેમનું પક્ષમાં કશું જ ઉપજતું ન હતુ. તેમના કામ થતાં ન હતા. તેઓએ કહ્યું ભાજપ કાયદામાં માનતી નથી. આ બધાં કારણોસર મહેશ વસાવાએ રાજીનામુ આપી દીધું છે.

ત્યારે મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપમાં ઉહાપોહ છે. કારણે મોટી પાર્ટીમાં સૌ કોઈ જોડતાં હોય છે. ભાજપ, આપ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડવવા તરસતાં હોય છે. ત્યારે આ રીતે કોઈ આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા ભાજપમાંથી રાજીનામુ આપે ત્યારે અનેક તર્કવિતર્ક થાય તે સ્વાભાવિક છે.

  ભાજપ આદિવાસી વિસ્તારોમાં ધ્યાન આપતી નથી

મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું તેની પાછળના કારણો વિશે તેમણે જાહેરમાં ઉલ્લેખ કર્યો છે. તેમનું મુખ્ય કારણ હતું કે ભાજપ બંધારણનું પાલન નથી કરતી અને આદિવાસી વિસ્તારોમાં વિકાસના મુદ્દે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે પક્ષને અનેક પત્રો લખીને આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે રાજીનામું આપી દીધુ છે.

ઉપરાંત રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી મહેશ વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રભાવશાળી નેતા ગણાય છે, અને તેમનું રાજીનામું આગામી ચૂંટણીઓમાં આદિવાસી મતદારોની ગતિશીલતા પર અસર કરી શકે છે. તેમનો નિર્ણય આદિવાસી સમુદાયના હિતો અને પક્ષની અંદરની રાજકીય ગણતરીઓ સાથે જોડાયેલો હોઈ શકે, જેમાં તેમને લાગ્યું હશે કે તેમના રાજકીય લક્ષ્યો ભાજપમાં સધાય તેમ નથી.

જોકે આ રાજીનામાની પાછળનું ‘ગણિત’ એટલે કે ચોક્કસ રાજકીય ગણતરીઓ કે આંતરિક વિવાદોની વધુ ઊંડી વિગતો જાહેર થઈ નથી. તેમના આગળના પગલાં, જેમ કે નવા પક્ષમાં જોડાવું કે સ્વતંત્ર રાજકીય પ્રવૃત્તિ, તેની સ્પષ્ટતા આપી શકે છે.

મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા

મનુસુખ વસાવાએ મહેશ વસાવાના રાજીનામાં વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયા એક વર્ષ થયું. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે દરેક મોટા નેતાઓ સાથે પરામર્શ કર્યું હતું અને અમારી વિચારધારાની સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સાથે કામ પણ કર્યું હતું. પાર્ટી સંગઠનની બેઠકમાં પણ તેમને બોલાવતા હતાં, ઘણી બેઠકમાં તે આવતા ઘણી બેઠકમાં ન આવતાં. પરંતુ તેમણે ઉતાવળુ પગલું ભરી લીધુ છે. આ સિવાય મનસુખ વસાવાએ મહેશ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, ‘મહેશ વસાવા સાત જન્મ લે તો પણ ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે.’

આ પણ વાંચો:

Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ