
જૂનાગઢમાં (Junagadh) અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (HariGiri Bapu) અને પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચા પર ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કુંભમેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય લેતા મહેશગિરીને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા હતા. આ સાથે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરીની હકાલપટ્ટી કરાઈ છે. મહાદેવગિરી બાપુ, કનૈયાગિરી બાપુ અને અમૃતગિરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ત્યારે હવે હકાલપટ્ટી થયા બાદ મહેશગિરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને હરિગિરી પર અનેક ગંભીર આક્ષેપ કર્યા છે.
હરિગિરી પર વેશ્યાવૃત્તિના આરોપ
મહેશગિરીએ હરિગિરી પર વેશ્યાવૃત્તિ, નકલી સાધુઓ, અખાડાઓમાં દારૂ પીવાતો હોવાના અને મુજરા થતા હોવાના આરોપ લગાવ્યા છે. આ સાથે શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જેના મહેશગિરીએ વીડિયો પણ જાહેર કર્યા છે. મુજરા અને સાધુ લથડિયા ખાતા હોવાનો પણ વીડિયો જાહેર કર્યો છે. મુજરાનું આયોજન હરિગિરીના ચેલા જ કરતા હોવાની વાત પણ કરી છે.
ગિરીશ કોટેચા પર મૂક્યા ગંભીર આરોપ
આ સાથે મહેશગિરીએ ગિરીશ કોટેચા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ગિરીશ કોટેચા અને તેમના પરિવાર દ્વારા મનપા ચૂંટણી માટે ટિકિટની માંગણી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ‘ગિરીયો અને હરિયો’ બંનેને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા અને ભાજપને પણ લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે.’
જુઓ લાઈવ વિડિયો
આ પણ વાંચોઃ Ahmedabad: વોર્ડ નંબર-7 ઘાટલોડિયાની પેટા ચૂંટણી માટે AAP ઉમેદવારે ફોર્મ ભર્યું, જુઓ વિડિયો
આ પણ વાંચોઃ Katch: કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરનાર 7 શખ્સો ઝડપાયા, પોલીસે શું કહ્યું?