MODI: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાયેલ ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ભાજપના વિકાસની વાતો કરી રોડ-રસ્તા,સ્કૂલ સહિતના ડેવલોપમેન્ટની વાતો કરી હતી આ કાર્યક્રમમાં આપ અને કોંગ્રેસના નેતાઓ પ્રફુલ વસાવા અને રાજ વસાવા સહિત 700થી વધુ લોકોએ ભાજપમાં પ્રવેશ કર્યો જેને ભાજપે શક્તિપ્રદર્શન ગણાવી રહ્યું છે ત્યારે ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલ ખોલતા જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી રોડ-રસ્તાના વિકાસની વાતો કરી રહયા છે ત્યારે વર્ષોથી ભાજપના સાંસદ રહેલા મનસુખ ભાઈના ગામમાં જવાનો જ રસ્તો હજુસુધી બન્યો નથી અને તે માટે પોતે પદયાત્રા કરવી પડી હતી.જો,ભાજપના સાંસદના ગામમાં જ રસ્તો ન બનતો હોય ત્યાં બીજા ગામની શુ વાત કરવી? આમ, તેઓએ ભાજપ અને હર્ષ સંઘવીના દાવા ની પોલ ખોલી હતી.સિનિયર પત્રકાર દિલીપ ભાઈ પટેલે આ મુદ્દે વિસ્તુત છણાવટ કરી હતી જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:






