Prayagraj: યુપીમાં ભાજપનો હિન્દુત્વનો બનાવટી ચહેરો ખુલ્લો પડ્યો? સિટી મેજિસ્ટ્રેટે આપ્યું રાજીનામુ!

  • India
  • January 27, 2026
  • 0 Comments

Prayagraj: હિન્દૂ રાષ્ટ્રની વાતો કરનારા ભાજપ શાસનમાંજ હવે પ્રયાગરાજના ધાર્મિક મેળામાં શંકરાચાર્ય અને સાધુઓ ઉપર થયેલા અત્યાચારના દ્રશ્યો જોઈ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ભારે ચકચાર મચી છે કારણકે રાજીનામાનું આપવાના કારણમાં તેઓએ UGCનો નવો કાયદો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાહેરમાં અપમાન તેમજ તેમના શિષ્યોની મારઝૂડ હોવાનું જણાવ્યું છે.

તેઓ સોમવારે સાંજે લગભગ 7:30 કલાકે સિટી મેજિસ્ટ્રેટ ડીએમ અવિનાશ સિંહને મળવા જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે બહાર આવતા સિટી મેજિસ્ટ્રેટે આરોપ લગાવ્યો કે તેઓને ડીએમ નિવાસસ્થાને 20 મિનિટ સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા અને ગાળો દીધી હતી અને કહ્યું હતું કે આ પાગલ થઈ ગયો છે.તેઓએ ઉમેર્યુ કે લખનઉથી મને બે કલાકની અંદર નિવાસસ્થાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને ટેન્ટ લગાવવામાં આવ્યો હતો એ ટેન્ટ પણ પોલીસે ત્યાંથી હટાવી દીધો છે.

આ અગાઉ અલંકાર અગ્નિહોત્રી પોતાના નિવાસસ્થાનની બહાર એક પોસ્ટર લઈને ઉભા દેખાયા. જેના પર લખ્યું હતું- UGC_ ROLL BACK કાળો કાયદો પાછો લો, શંકરાચાર્ય અને સંતોનું આ અપમાન નહીં સહે ભારત, #BOYCOTT BJP #BOYCOTT BRAHMAN MP MLA…

તેમણે 5 પાનાનો એક પત્ર પણ લખ્યો. જેમાં તેમણે કહ્યું- ‘પ્રયાગરાજ માઘ મેળા દરમિયાન શંકરાચાર્યના શિષ્યોની ચોટી પકડવામાં આવી.’ તેમણે લખ્યું-આવી ઘટના કોઈ પણ સામાન્ય બ્રાહ્મણને અંદરથી હચમચાવી દે છે. એવું લાગે છે કે પ્રશાસન અને વર્તમાન સરકાર બ્રાહ્મણો અને સાધુ-સંતો વિરુદ્ધ કામ કરી રહી છે. તેમની ઇજ્જત સાથે ચેડાં થઈ રહ્યા છે. બ્રાહ્મણોની વાત કરનાર કોઈ નથી.

આ ઘટના બાદ શંકરાચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે નગર મેજિસ્ટ્રેટના રાજીનામા પર કહ્યું- શંકરાચાર્યનું જે સન્માન છે, તે સનાતન પ્રેમીઓના હૃદયમાં ખૂબ ઊંડું બનેલું છે. તેને આહત કરવાનું શું પરિણામ આવશે, તેનો અંદાજ આ ઘટના પરથી લગાવવો જોઈએ.

વિગતો મુજબ મોડી રાત્રે શંકરાચાર્યે સિટી મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે આખો સનાતની સમાજ તમારાથી ખૂબજ પ્રસન્ન છે અને જે પદ તમને સરકારે આપ્યું હતું, અમે તેનાથી મોટું પદ ધર્મના ક્ષેત્રમાં તમને આપીશું એમ જણાવ્યું હતું.

બીજી તરફ મળી રહેલા તાજા અહેવાલો મુજબ બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

રાજ્ય નિમણૂક વિભાગે કમિશનર ભૂપેન્દ્ર એસ. ચૌધરીને આ મામલાની તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

આમ,સરકાર જેના ઉપર કૂદે છે તે ધીરેધીરે હિંદુત્વની પોલ ધીરે ધીરે ખુલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”