UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!

  • India
  • August 19, 2025
  • 0 Comments

UP: ચંદૌલીના બાથવાર ગામમાં પારિવારિક ઝઘડાને કારણે ભગવાન દાસ યાદવે(ઉ.વ.33) તેની પત્ની ક્રિમકલા(ઉ.વ. 30)ની પાવડા વડે હત્યા કરી નાખી. આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે. આરોપી જિલ્લા પંચાયતના સભ્ય છે અને તેને અગાઉ પણ અપરાધિક કૃત્યો આચાર્યા છે.

ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે

આ ઘટના ચંદૌલી જિલ્લાના બાથવાર ગામમાં બની હતી. જયાં એક પતિએ તેની પત્ની ક્રિમકલા પર પાવડા વડે હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. અને તે પતિ ભગવાન દાસ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જાણકારી મળતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી દીધી, પોલીસ હવે આરોપીઓની શોધ કરી રહી છે.

પિતાના કૃત્યથી બાળકો અનાથ

પિતાએ ગુસ્સે ભરાઈને બાળકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું, કારણ કે પરિવારમાં એક દિકરોને દિકરી છે. જે હવે તેમના પિતાના કૃત્યને કારણે અનાથ છે. આ ઘટના બાદ ગામમાં શોકનું વાતાવરણ છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે  વિવાદોનો ઉકેલ લાવવો જરુરી છે.

મહિલાઓની સુરક્ષા પર સવાલ

આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલ પ્રશ્ન ઉઠાવ્યો છે. મહિલા સુરક્ષાની વાતો થાય છે પણ અહીં તો ઘરમાં જ સુરક્ષિત નથી તો બહાર કેવી રીતે હોઈ શકે. આ ઘટના માત્ર એક પરિવારને જ નહી આખા સમાજને લાગુ પડે છે, કારણ કે દરેક પરિવારમાં ઝઘડા થતાં હોય છે. પરંતુ તેનો યોગ્ય સમયે ઉકેલ આવવો ખૂબ જ જરુરી હોય છે. જેથી ભવિષ્યમાં આવી ઘાતક ઘટના ન બને. પારિવારિક વિવાદોના ઉકેલ માટે સમાજે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

જમીન સંપતિના વિવાદમાં હત્યા

ક્રિમકલાની માતાએ કહ્યું – ભગવાન દાસ તેમની જમીન હડપ કરવા માંગતો હતો. આ માટે તેઓ તેમની પુત્રીને સતત હેરાન કરતો.   તેમને કોઈ પુત્ર નથી. તેમના પતિનું પણ અવસાન થયું છે, જેના કારણે ભગવાન દાસ તેમની જમીન બળજબરીથી પોતાના નામે કરાવવા માંગતો હતો. જ્યારે તેમની પુત્રીએ આનો વિરોધ કર્યો ત્યારે મારી પુત્રીની હત્યા કરી નાખી.

પોલીસે શું કહ્યું?

પોલીસે ખાતરી આપી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે અને ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.ભગવાન દાસ યાદવને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. તેને પકડવા માટે સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો:

Asia Cup 2025: એશિયા કપમાં ભારત પાકિસ્તાનને હરાવે, તો તેને પહેલગામનો બદલો ગણવાનો?

Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા

Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!

Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા

Gandhinagar: માજી સૈનિકોનું ‘ઓપરેશન અનામત’ આંદોલન 23મા દિને યથાવત્: 50થી વધુ માજી સૈનિકોની અટકાયત

Jhansi: પતિથી છૂટાછેડા, બીજા સાથે રિલેશનશિપ, હવે મહિલાની લાશ લટકતી મળી, હચમચાવી નાખતો કિસ્સો

Non-Vegetarian Milk: ટ્રમ્પ ભારતમાં માંસાહારી દૂધ કેમ વેચવા માગે છે?

Related Posts

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ
  • June 24, 2026

Shiv Sena Rebellion History: મુંબઈના રાજકીય ગલિયારાઓમાં શિવસેનાનું નામ આવે એટલે મનમાં બાળાસાહેબ ઠાકરેનું પ્રચંડ વ્યક્તિત્વ અને રસ્તા પરના પ્રચંડ આંદોલનો યાદ આવે. પરંતુ, ૧૯૬૬માં સ્થાપિત થયેલી આ પાર્ટી આજે…

Continue reading
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
  • June 24, 2026

Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 1 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 2 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને