
Bhavanagar: સમગ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનો તૈયાર પાક નાશ પામ્યો છે. જેથી ખેડૂતોએ માથે હાથ ટેકી દીધા છે અને સરકાર પાસે સહાયની યાચના કરી રહ્યા છે. જો કે સરકાર સહાય ચૂકવવામાં સતત વિલંબ અને આનાકાની કરી રહી છે. પાક વિમા યોજના બંધ કરી દીધી છે. નાશ પામેલા પાકનો ઝડપથી સરવે થઈ રહ્યો નથી. બીજી તરફ ભાવનગર જીલ્લાના ખેડૂતો સરકારના ડિજિટલ સર્વે સામે વિરોધ કરી રહ્યા છે.
મળતી જાણકારી અનુસાર હાલ પડેલા અતિભારે વરસાદે ભાવનગરના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. મૂડી લગાવીને પકવેલો પાક વરસાદમાં નાશ થઈ ગયો છે. વલ્લપુરમાં પણ વરસાદે તારાજી સરર્જી છે. ત્યારે હવે સરકાર ડિજિટલ સરવે કરવાની યોજના ઘડી રહ્યું છે. જો કે વલ્લભીપુર તાલુકાના 54 ગામના સરપંચોનો ડિજિટલ સરવે વિરોધ કરી રહ્યા છે. વલ્લભીપુર તાલુકાના સરપંચોએ ગામ વતી કર્યો ડિજિટલ સરવેનો બહિષ્કાર મુખ્ય મંત્રીને લેટર પેડ પર પાત્રો લખી રજૂઆત કરી કરી છે. સરકાર દ્વારા માત્ર ડિજિટલ સરવેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવામાં આવે તેવી માંગ તાલુકાવાસીઓ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા
આ પણ વાંચો:
ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain
Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ









