
Punjab Kishan Andolan | ખેડૂત આંદોલન ફરી શરૂ થઈ ગયું છે અને દિલ્હી કૂચની જાહેરાત કરતા તંત્ર એલર્ટ થઈ ગયું છે આ વખતે ખેડૂતોની માંગ કોઈ કૃષિ વિષયક નહિ પણ શીખ કેદીઓને મુક્ત કરવાની છે.
સજા પૂર્ણ કરી ચૂકેલા શીખ કેદીઓને હજુસુધી મુક્ત નહી કરવાના વિરોધમાં કૌમી ઈન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનોના સંયુકત અભિયાન હેઠળ તરફ તેઓએ રાજધાની દિલ્હી તરફ વિરોધ કૂચની જાહેરાત કરી છે. જેમાં દિલ્હીના ગુરુદ્વારા સાહિબમાં પ્રાર્થના કરવાનો કાર્યક્રમ પણ સામેલ છે, જોકે, આ વિરોધ કૂચ માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી.
બીજી તરફ આ જાહેરાત બાદ પંજાબ અને હરિયાણા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને અમૃતસર-દિલ્હી હાઇવે સ્થિત શંભુ બોર્ડર બંધ કરી દીધી છે. આજે શુક્રવારે (14મી નવેમ્બર) સવારે 7 વાગ્યાથી બોર્ડર બંધ કરવામાં આવી છે જે સાંજે 6:30 વાગ્યા સુધી બંધ રહેશે.
જોકે,બોર્ડર બંધ થવાને કારણે, પંજાબથી હરિયાણા જવા માટે વૈકલ્પિક માર્ગ ખુલ્લા રખાયા છે તેમછતાં ટ્રાફિક જામ થવાની શકયતા છે બોર્ડર બંધ થતાં ફતેહગઢ સાહિબ-લાંદ્રાણ-એરપોર્ટ ચોક, મોહાલી-ડેરા બસ્સી-અંબાલા, રાજપુરા-બાનુર-ઝીરકપુર-ડેરા બસ્સી-અંબાલા, રાજપુરા-ઘન્નૌર-અંબાલા-દિલ્હી હાઈવે, પટિયાલા-ઘન્નૌર-અંબાલા-દિલ્હી હાઇવે અને બાનુર-મનૌલી-સુરત-લેહલી-લાલરુ-અંબાલા રૂટ પર ટ્રાફિક જામ થવાની શક્યતાઓ રહેલી છે.
નોંધનીય છે કે કૌમી ઈન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનો દ્વારા શંભુ બેરિયરથી વિરોધ કૂચની જાહેરાત બાદ વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કૌમી ઈન્સાફ મોરચા અને અન્ય ખેડૂત સંગઠનોના સભ્યોએ આજે સવારે શંભુ બોર્ડર પર એકત્ર થવાનું નક્કી કર્યું છે અને ત્યાંથીજ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે.
ત્યારે તંત્ર દ્વારા બોર્ડર બંધ કરી વિરોધ કૂચને આગળ જતી અટકાવવા માટે પોલીસ વહીવટીતંત્રે પંજાબ અને હરિયાણાની બંને બાજુ બેરિકેડ લગાવી દેતા ઘર્ષણ સર્જાવાની સ્થિતિ જોવા મળી છે. બોર્ડર પર અંદાજે 125 બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને અહીં 500 પોલીસકર્મીઓ તૈનાત છે. તથા પંજાબ પોલીસ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









