
BIHAR ELECTION | બિહાર ચૂંટણીના પરિણામોમાં NDAની જંગી જીત મામલે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના નેતા સંજય રાઉતે આજે શુક્રવારે કહ્યું કે ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક નથી આતો થવાનું જ હતું.
તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ અને ભાજપે સંયુક્ત રીતે તેમનો “રાષ્ટ્રીય એજન્ડા” પૂર્ણ કર્યો છે. રાઉતે એમ પણ કહ્યું કે બિહારના પરિણામો 2024 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જેવા જ હતા, જ્યાં શાસક મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના અને NCP) એ જંગી વિજય મેળવ્યો હતો.
રાઉતે X પર કહ્યું કે બિહારના પરિણામોમાં “મહારાષ્ટ્ર પેટર્ન” સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તેઓ 2024 ની મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) ને હારનો સામનો કરવો પડ્યો હતો.
તેમણે લખ્યું, “બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી આશ્ચર્ય પામવાની જરૂર નથી. ચૂંટણી પંચ અને ભાજપ રાષ્ટ્રીય એજન્ડાને આગળ ધપાવવા માટે જે રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે તે જોતાં, અલગ પરિણામની અપેક્ષા રાખવી નિરર્થક હતી. મહારાષ્ટ્રમાં આ જ પેટર્ન જોવા મળી છે.” રાઉતે વધુમાં આરોપ લગાવ્યો કે સત્તામાં આવવાની આશા રાખતા ગઠબંધનને “૫૦ બેઠકોથી નીચે ધકેલી દેવામાં આવ્યું છે.”
જ્યારે અમિત શાહે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ જીત સ્પષ્ટપણે મોદી સરકારની નીતિઓમાં જનતાનો વિશ્વાસ દર્શાવે છે. શાહના મતે, ચૂંટણી પરિણામો વિકાસ અને દેશના સામાન્ય લોકોની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે બિહારના લોકોના નિર્ણયને રાષ્ટ્રનો મૂડ ગણાવ્યો હતો.
બિહારમાં બમ્પર બહુમતી તરફ અગ્રેસર એનડીએના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને જેડી(યુ)ના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને ઉજવણી કરી રહયા છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો










