
Bhavnagar: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી શૈલેષ ખાંભલા પર પોતાની પત્ની અને બે નાના સંતાનોની હત્યા કરીને ખાડામાં દફનાવવાનો આરોપ લાગ્યો છે. 5 નવેમ્બરે ગુમ થયેલા ત્રણેયના મૃતદેહો 16 નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ક્વાર્ટરથી માત્ર 20 ફૂટ દૂર 7 ફૂટ ઊંડા ખાડામાંથી મળ્યા. મૃતદેહો પર પથ્થરો બાંધીને દાટવામાં આવ્યા હતા, જેમાં હત્યાની ભયાનકતા સ્પષ્ટ થાય છે.
શૈલેષે 7 નવેમ્બરે પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્ય ગુમ થયાની જાણ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, તેમણે ત્રણેયને મારી નાખ્યા પછી 10 દિવસ સુધી છુપાવ્યા અને પછી ક્વાર્ટર પાસે ખાડો ખોદી દફનાવ્યા. ભાવનગર પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ પછી શૈલેષ હાજર ન હોવાથી પરિવારજનોની હાજરીમાં રવિવારે અંતિમ વિધિ કરાઈ.
મૃતક નયનાબેનના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું, “આ રીતે લાશો ખસેડી પથ્થરો બાંધી દફનાવવું એક વ્યક્તિનું કામ નથી. ચોક્કસ અન્ય લોકો સંડોવાયેલા છે. આ રાક્ષસી કૃત્ય માટે ફાંસીની સજા જોઈએ.” એક CCTV વીડિયો વાયરલ થયો જેમાં પરિવાર રીક્ષામાંથી ઉતરતો દેખાય, પરંતુ પોલીસે તેને ખોટી અફવા ગણાવી છે, જે તપાસને ભટકાવવાનો પ્રયાસ છે.
ભાવનગર પોલીસના જણાવ્યા મુજબ તેઓ હાલ પુરાવા એકત્ર કરી તપાસ તીવ્ર કરી છે. હત્યાના કારણો, સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અને ઘટનાક્રમની વિગતવાર તપાસ ચાલુ છે.” આ ઘટનાથી શહેરમાં શોક અને આક્ષેપનો માહોલ છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો










