Anand News: ભ્રષ્ટાચારની CMને રજૂઆત કરનાર ખેડૂતને ભર બજારે જીવતો સળગાવતા હાહાકાર! હોસ્પિટલના બિછાનેથી ખેડૂતનું નિવેદન

Anand News: ભારતમાં લોકશાહી આવી અને સાથે રાજકારણ પણ આવ્યું અને આ રાજકારણમાં વગદાર લોકો પોતાની મનમાની કરતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે ત્યારે મધ્ય ગુજરાતમાં એક ગામમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરનાર ગ્રામજનને ભર બજારમાં જીવતો સળગાવી દેવાનો કમકમાટી ભર્યો પ્રયાસ થયો હોવાની કથિત ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે.

આ ચકચારી ઘટના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં બની છે,આ ગામમાં મહિલા સરપંચ સહિત તેમના પરિવાર વિરુદ્ધ CM સમક્ષ ફરિયાદ કરનાર ભરત પઢીયાર નામના ખેડૂતને ભર બજારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો હીંચકારો પ્રયાસ થયો હતો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પીડીત ભરત પઢિયારે પોતાને સરપંચ અને તેમના પરિવારે પેટ્રોલ છાંટી સળગાવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢિયારનું નિવેદન લીધા બાદ પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે આપેલા નિવેદનમાં હતું કે, તેમના ગામ અંબાવ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયાની તેઓએ આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી.

જોકે અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય નહી મળતા આ અંગે મીડિયામાં નિવેદન આપ્યું હતું ત્યારબાદ જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી તેમને ધમકી મળી હતી.ત્યારબાદ બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ‘તમને જીવતા નહીં છોડીએ’, તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે પોતે દરણું દળાવવા માટે ઘંટી ગયા હતા ત્યાં અચાનક ગામના સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા.

તેમણે ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું અને માર મારતા મારતા તેઓ તેમને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને પોતાને પકડી રાખી નિલેશભાઈએ તેમની ઉપર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી અને દિનેશભાઈએ લાત મારીને પાડી દઈ પોતાને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢીયારને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા.ભરત પઢીયારે હોસ્પિટલના બિછાનેથી આપેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, આ ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઇ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 4 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’