Morbi: રાજ્યમાં બે કિશોરીઓ ઉપર ગેંગરેપ બાદ વધુ બે અબળાની ઈજ્જત લૂંટતા બેખૌફ વાસના ભૂખ્યા વરુઓ! હર્ષ સંઘવીની પોલીસ સામે ઉઠયા સવાલ!

  • Gujarat
  • January 10, 2026
  • 0 Comments

Morbi: ગુજરાતમાં નાની બળકીઓથી લઈ સગીર યુવતી અને મહિલાઓની સલામતી સામે સવાલો ઉઠ્યા છે અને બેખૌફ બનેલા વાસના ભૂખ્યા શેતાનો સતત બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહયા છે.

2026ના પ્રારંભે બે માસૂમ સગીરાઓની છેડેચોક ગેંગરેપ કરીને ઈજ્જત લૂંટવામાં આવી છે એક ઘટના વાંસદા અને બીજી ઘટના વડોદરામાં બની છે અને આ ઘટનાના પ્રત્યાઘાતો શમે તે પહેલાં મોરબીમાં એક સામાજિક સંસ્થામાં ઘૂસી જઈ બે વાસના ભૂખ્યા વરુઓ બે અબળાઓની ઈજ્જત લૂંટીને ભાગી છૂટ્યા છે.

રાજ્યમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેની ઉપર દંડો ચલાવવાનો છે ત્યાં ચાલતો નથી પરિણામે આ સ્થિતિ ઉભી થઇ રહી હોવાનું અગાઉ વિપક્ષ નેતાઓ પણ કહી ચુક્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે અને મહિલાઓ હવે અસલામત બની ગઈ છે.

મોરબી શહેરમાં અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક બનેલી ઘટનામાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી માનસિક અસ્વસ્થ બે મહિલા પર અજાણ્યા નરાધમો દુષ્કર્મ આચરી ભાગી છૂટ્યા હતા.આ હવસખોરો સૌપ્રથમ સંસ્થાની કમ્પાઉન્ડ વોલ (દીવાલ) કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો ત્યાર બાદ જે રૂમમાં આ મહિલાઓને રાખવામાં આવી હતી તે દીવાલમાં બાકોરું પાડીને હવસખોરો અંદર ઘૂસ્યા હતા અને રૂમમાં રહેલી 2 અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી ત્યારબાદ ભાગી છૂટ્યા હતા.

આમ,હવે હવસખોરો બિન્દાસ બન્યા છે કારણકે રાજ્યમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે પરિણામે મહિલાઓ અસુરક્ષા અનુભવી રહી છે.ગૃહમંત્રી સાથે ડેપ્યુટી સીએમ બનેલા હર્ષ સંઘવીએ આવા બનાવોની ગંભીરતા ધ્યાને લઇ પોલીસને જે ખરેખર ગુનેગારો છે તેવા લોકો સામે દંડો ચલાવવા કહેવાની જરૂર છે.

બાકી સામન્ય જનતામાં ભય ઉભો કરવામાં કઈ વળવાનું નથી ગુજરાતમાં બેફામ બનેલા હવસખોરોના ત્રાસથી મહિલાઓ અને બાળકીઓ-સગીરાઓમાં ગભરાટ અને ચિંતા પ્રસરી છે.ગુજરાતમાં દુષ્કર્મની બની રહેલી ઉપરા ઉપરી ઘટનાઓ ચિંતાનો વિષય છે બે કિશોરીઓ ઉપર ગેંગરેપ બાદ હવે નિરાધાર અને અશક્ત મહિલાઓ સાથે આચરાયેલું આ કૃત્ય સંવેદનશીલ સમાજ સ્તબ્ધ બની ગયો છે અને કાયદા વ્યવસ્થા ઉપરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો
  • May 10, 2026

Mehsana expired animal medicines: મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા સરકારી પશુ દવાખાનામાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જીવદયા પ્રેમીઓ દ્વારા જ્યારે આ દવાખાનામાં ઓચિંતી તપાસ કરવામાં આવી, ત્યારે…

Continue reading
Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો
  • May 10, 2026

Ahmedabad family hostage: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવાર માટે વિદેશ જવાનું સપનું એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું છે. ૨૦ એપ્રિલના રોજ યેમેકર પરિવારના ચાર સભ્યો વર્ક પરમિટ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • May 10, 2026
  • 2 views
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

  • May 10, 2026
  • 6 views
Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 14 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 11 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ