Morbi: રાજ્યમાં બે કિશોરીઓ ઉપર ગેંગરેપ બાદ વધુ બે અબળાની ઈજ્જત લૂંટતા બેખૌફ વાસના ભૂખ્યા વરુઓ! હર્ષ સંઘવીની પોલીસ સામે ઉઠયા સવાલ!

  • Gujarat
  • January 10, 2026
  • 0 Comments

Morbi: ગુજરાતમાં નાની બળકીઓથી લઈ સગીર યુવતી અને મહિલાઓની સલામતી સામે સવાલો ઉઠ્યા છે અને બેખૌફ બનેલા વાસના ભૂખ્યા શેતાનો સતત બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહયા છે.

2026ના પ્રારંભે બે માસૂમ સગીરાઓની છેડેચોક ગેંગરેપ કરીને ઈજ્જત લૂંટવામાં આવી છે એક ઘટના વાંસદા અને બીજી ઘટના વડોદરામાં બની છે અને આ ઘટનાના પ્રત્યાઘાતો શમે તે પહેલાં મોરબીમાં એક સામાજિક સંસ્થામાં ઘૂસી જઈ બે વાસના ભૂખ્યા વરુઓ બે અબળાઓની ઈજ્જત લૂંટીને ભાગી છૂટ્યા છે.

રાજ્યમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેની ઉપર દંડો ચલાવવાનો છે ત્યાં ચાલતો નથી પરિણામે આ સ્થિતિ ઉભી થઇ રહી હોવાનું અગાઉ વિપક્ષ નેતાઓ પણ કહી ચુક્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે અને મહિલાઓ હવે અસલામત બની ગઈ છે.

મોરબી શહેરમાં અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક બનેલી ઘટનામાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી માનસિક અસ્વસ્થ બે મહિલા પર અજાણ્યા નરાધમો દુષ્કર્મ આચરી ભાગી છૂટ્યા હતા.આ હવસખોરો સૌપ્રથમ સંસ્થાની કમ્પાઉન્ડ વોલ (દીવાલ) કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો ત્યાર બાદ જે રૂમમાં આ મહિલાઓને રાખવામાં આવી હતી તે દીવાલમાં બાકોરું પાડીને હવસખોરો અંદર ઘૂસ્યા હતા અને રૂમમાં રહેલી 2 અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી ત્યારબાદ ભાગી છૂટ્યા હતા.

આમ,હવે હવસખોરો બિન્દાસ બન્યા છે કારણકે રાજ્યમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે પરિણામે મહિલાઓ અસુરક્ષા અનુભવી રહી છે.ગૃહમંત્રી સાથે ડેપ્યુટી સીએમ બનેલા હર્ષ સંઘવીએ આવા બનાવોની ગંભીરતા ધ્યાને લઇ પોલીસને જે ખરેખર ગુનેગારો છે તેવા લોકો સામે દંડો ચલાવવા કહેવાની જરૂર છે.

બાકી સામન્ય જનતામાં ભય ઉભો કરવામાં કઈ વળવાનું નથી ગુજરાતમાં બેફામ બનેલા હવસખોરોના ત્રાસથી મહિલાઓ અને બાળકીઓ-સગીરાઓમાં ગભરાટ અને ચિંતા પ્રસરી છે.ગુજરાતમાં દુષ્કર્મની બની રહેલી ઉપરા ઉપરી ઘટનાઓ ચિંતાનો વિષય છે બે કિશોરીઓ ઉપર ગેંગરેપ બાદ હવે નિરાધાર અને અશક્ત મહિલાઓ સાથે આચરાયેલું આ કૃત્ય સંવેદનશીલ સમાજ સ્તબ્ધ બની ગયો છે અને કાયદા વ્યવસ્થા ઉપરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 5 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 9 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો