
Supreme Court: દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવો તેનો મૂળભૂત અધિકાર છે.
એક વરિષ્ઠ પત્રકારના સવાલના જવાબમાં તેમણે આ વાત કહી હતી જયપુર સાહિત્ય ઉત્સવમાં રવિવારે હાજરી આપવા આવેલા દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે આ મુજબ મહત્વનું નિવેદન આપ્યું છે.
● નિર્દોષ છૂટનાર આરોપીએ ગુમાવેલા કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી
આ અંગે પૂર્વ CJIએ ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યુ કે, ‘જો કોઈ વ્યક્તિ પાંચ કે સાત વર્ષ જેલમાં સબડયા બાદ નિર્દોષ છૂટે, તો તેના જીવનના એ કિંમતી વર્ષોની ક્યારેય ભરપાઈ થઈ શકતી નથી.
● જામીન ક્યારે નકારી શકાય?
દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘જામીન ત્યારે જ નકારી શકાય કે જ્યારે આરોપી ફરી ગુનો કરે તેવી શક્યતા હોય, પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ હોય અથવા કાયદાથી ભાગી જવાનો ભય હોય પણ જો ન્યાયિક પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થવાનો હોય તો તે આરોપીને જામીન મળવા જ જોઈએ.’
તેઓએ ઉમેર્યુ હતું કે ‘જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય તો અદાલતોએ કેસની ઊંડી તપાસ કરવી જોઈએ, જેથી કોઈ વ્યક્તિ કારણ વગર વર્ષો સુધી જેલમાં ન સબડે.’
દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદના જામીન નકારવા અંગે ચર્ચા દરમિયાન પત્રકારના જવાબ આપતી વખતે તેઓએ આ મુજબ જણાવ્યું હતું તેઓએ જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નકારવાના વલણને ચિંતાનો વિષય ગણાવ્યો હતો, જેનાથી ક સુપ્રીમ કોર્ટમાં કેસોનું ભારણ વધે છે.
તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરેકને ખબર પડે તેથી તેઓના કાર્યકાળ દરમિયાન લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે માત્ર હિન્દી જ નહીં પરંતુ બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે નિવૃત્તિ બાદ હાલ પોતે ખાનગી જીવનનો આનંદ માણી રહ્યા છે અને હાલમાં કોઈ નવો હોદ્દો સ્વીકારવા માંગતા નહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!










