Supreme Court: કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવા તેનો મૂળભૂત અધિકાર : પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનું નિવેદન

  • India
  • January 18, 2026
  • 0 Comments

Supreme Court: દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવો તેનો મૂળભૂત અધિકાર છે.

એક વરિષ્ઠ પત્રકારના સવાલના જવાબમાં તેમણે આ વાત કહી હતી જયપુર સાહિત્ય ઉત્સવમાં રવિવારે હાજરી આપવા આવેલા દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે આ મુજબ મહત્વનું નિવેદન આપ્યું છે.

● નિર્દોષ છૂટનાર આરોપીએ ગુમાવેલા કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી

આ અંગે પૂર્વ CJIએ ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યુ કે, ‘જો કોઈ વ્યક્તિ પાંચ કે સાત વર્ષ જેલમાં સબડયા બાદ નિર્દોષ છૂટે, તો તેના જીવનના એ કિંમતી વર્ષોની ક્યારેય ભરપાઈ થઈ શકતી નથી.

● જામીન ક્યારે નકારી શકાય?

દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘જામીન ત્યારે જ નકારી શકાય કે જ્યારે આરોપી ફરી ગુનો કરે તેવી શક્યતા હોય, પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ હોય અથવા કાયદાથી ભાગી જવાનો ભય હોય પણ જો ન્યાયિક પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થવાનો હોય તો તે આરોપીને જામીન મળવા જ જોઈએ.’

તેઓએ ઉમેર્યુ હતું કે ‘જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય તો અદાલતોએ કેસની ઊંડી તપાસ કરવી જોઈએ, જેથી કોઈ વ્યક્તિ કારણ વગર વર્ષો સુધી જેલમાં ન સબડે.’

દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદના જામીન નકારવા અંગે ચર્ચા દરમિયાન પત્રકારના જવાબ આપતી વખતે તેઓએ આ મુજબ જણાવ્યું હતું તેઓએ જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નકારવાના વલણને ચિંતાનો વિષય ગણાવ્યો હતો, જેનાથી ક સુપ્રીમ કોર્ટમાં કેસોનું ભારણ વધે છે.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરેકને ખબર પડે તેથી તેઓના કાર્યકાળ દરમિયાન લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે માત્ર હિન્દી જ નહીં પરંતુ બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે નિવૃત્તિ બાદ હાલ પોતે ખાનગી જીવનનો આનંદ માણી રહ્યા છે અને હાલમાં કોઈ નવો હોદ્દો સ્વીકારવા માંગતા નહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે
  • June 17, 2026

Shiv Sena UBT MP Rebellion: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના ૯માંથી ૬ સાંસદોના દિલ્હી પહોંચવા અને ત્યાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે…

Continue reading
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ
  • June 17, 2026

NEET exam fraud: NEET-UG જેવી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે, પરંતુ આ વખતે ખતરો માત્ર પેપર લીક પૂરતો સીમિત નથી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 4 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 6 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 8 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 20 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!