
Gujarat Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 બાયો-કન્ટેનમેન્ટ સુવિધાનો શિલાન્યાસ કર્યો અને અમિત શાહે વિકસતી ટેકનોલોજી અંગે ભાષણ પણ કર્યું પણ આધુનિક ટેકનોલોજીની મોટી મોટી વાતો કરનાર સરકાર એક વેબસાઇટ પણ સારી રીતે હેન્ડલ કરી શકાતી નથી તે વાસ્તવિક સ્થિતિ છે.
નવાઈની વાત એ છે કે ટેકનોલોજીની વાતો થાય છે ઈમારતોના પાયા નખાય છે,સાધનો આવી જાય છે, ઉદ્ઘાટન થઈ જાય છે કર્મચારીઓ નિમાઈ જાય છે પણ ટેકનોલોજી અપડેટ કોણ કરશે? તે કોઈ જોતું નથી.
અહીં સૌથી મોટી ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં ગુજરાતી વેબસાઈટ ઉપર હજુપણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ દર્શાવવામાં આવ્યું છે,વાસ્તવમાં હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે પણ કમનસીબે માનનીય વિજયભાઈ રૂપાણી હજુપણ વેબસાઈટ ઉપર CM તરીકે જીવંત છે.
સ્વ.રૂપાણી સાહેબ હવે આ દુનિયામાં રહ્યા નથી તેઓનું વિમાન અકસ્માતમાં કરુણ મોત થઈ ગયું છે તે સૌ કોઈ જાણે છે પણ સરકારને કદાચ ખબર નહિ હોય તેથી આ લાપરવાહી અને લાલીયાવાડી ચલાવ્યે રાખે છે અને મોટી મોટી ડીંગો હાંકતા જાય છે સ્વ.વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી 11 સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા પરંતુ હજુપણ આ વેબસાઇટ ઉપર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને દર્શાવવામાં આવ્યા છે.
આમ,ટેકનોલોજીની મોટી મોટી વાતો કરનારા નેતાઓને એ પણ ખબર નથી કે ભાઈ મુખ્યમંત્રીનું નામતો બદલો…આમ આ વેબસાઈટ જો અપડેટ થતી ન હોય ત્યાં ટેકનોલોજીની વાતો કરવી હાસ્યાસ્પદ લાગે છે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી દેશના સર્વાંગી વિકાસના આધારસ્તંભ છે, અને BSL-4 લેબ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે
BSL-4 બાયો-કન્ટેનમેન્ટ ફેસિલિટીનું નિર્માણ, દેશમાં બાયો-સેફ્ટીના નવા યુગની શરૂઆત છે, તે સ્વાસ્થ્ય સુરક્ષાનું કવચ બનશે BSL-4 લેબ બન્યા પછી ખતરનાક વાયરસના સેમ્પલ તપાસવા માટે આપણી વિદેશો પર નિર્ભરતા ખતમ થશે, તપાસમાં પણ તેજી આવશે BSL-4 બાયો-કન્ટેનમેન્ટ ફેસિલિટી વૈજ્ઞાનિકોને ચેપી અને ઘાતક વાયરસ પર એક સુરક્ષિત વાતાવરણમાં સંશોધન કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે
આ લેબમાં પશુઓ દ્વારા માનવ સુધી પહોંચતા રોગોનો પણ અભ્યાસ કરવાની વિશ્વસ્તરીય વ્યવસ્થા હશે બાયોટેક ક્ષેત્રમાં કામ કરતા યુવાનોએ એ બતાવી દીધું છે કે આપણો યુવાન જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર પણ છે
Antimicrobial Resistance (AMR) એક ‘સાઇલેન્ટ ડિઝાસ્ટર’ છે, તેનાથી નિપટવા માટે સ્પષ્ટ રોડમેપ, સાચા સમયે ઉપચાર અને અંતિમ વ્યક્તિ સુધી જાગૃતિ પહોંચાડવી જરૂરી વગેરે વગેરે વાતો કરવામાં આવી રહી છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે મુખ્યમંત્રીનું નામ અપડેટ થતું ન હોય ત્યાં આ બધી વાતો કરવી નકામી છે.
આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે ત્યારે સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








