Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Surendranagar: સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે આવેલી ખાણના કારણે સીલીકોસીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં છેલ્લા 9 મહિનામાં 30 લોકોના મોત થયા હોવાની ચોંકાવનારો ખુલાસો થતા ભારે સનસનાટી મચી ગઇ છે થાનગઢ તાલુકાના સરોડી ગામમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત આવેલી પથ્થરની ખાણને લઈ આ રોગ વકર્યો હોવાના આરોપ લાગ્યા છે.

તાજેતરમાં સીલીકોસીસ મુદ્દે કાર્યરત સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) ના કાર્યકરોએ સરોડી ગામના ૨૫ વર્ષીય યુવાન હંસરાજભાઈની મુલાકાત લીધી હતી. તેઓ માત્ર ૨ વર્ષ ખાણમાં કામ કર્યા બાદ સીલીકોસીસનો ભોગ બન્યા છે. હાલમાં તેઓ ઓક્સિજનના સહારે શ્વાસ લઈ રહ્યા છે. તેમના ફેફસાંને ભારે નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત, સરોડી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યો આ ખાણમાં કામ કરતાં નાની ઉંમરે જ શંકાસ્પદ મૃત્યુ પામ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે.

આ મૃતકોમાં 39 વર્ષીય દીનેશભાઈ રવજીભાઈ પલાણીનું તા. ૨૨/૧૨/૨૦૨૦ના રોજ મૃત્યુ થયું હતું એજ પ્રકારે 30 વર્ષીય મનસુખભાઈ રવજીભાઈ પલાણીનું મૃત્યુ તા.૧૩/૦૨/૨૦૨૧ના રોજ થયું હતું જ્યારે પ્રેમજીભાઈ રવજીભાઈ પલાણી અને 24 વર્ષીય દેવકરણ કાનાભાઈ પલાણીનું તા. ૦૬/૦૪/૨૦૨૪ના રોજ મૃત્યુ થયું હતું.

જેમાં દિનેશભાઈ અને મનસુખભાઈના સારવાર સંબંધિત હોસ્પિટલના કાગળોમાં ડોક્ટર દ્વારા સીલીકોસીસનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રેમજીભાઈ અને દેવકરણભાઈને પણ સમાન લક્ષણો હતા, પરંતુ તેમના દવાખાનાના કાગળો હાલમાં ઉપલબ્ધ નથી.

વધુમાં, હંસરાજભાઈના પરિવારજનો પાસેથી અમને સરોડી ગામના અન્ય ત્રણ કામદારો વિશે માહિતી મળી છે, જેમણે ખાણમાં કામ કર્યું છે અને હાલમાં ગંભીર શ્વાસની તકલીફથી પીડાઈ રહ્યા છે આ રીતે 9 મહિનામાં સિલિકોસિસથી સુરેન્દ્રનગરમાં ખાણ અને સિરામિકમાં 30 ખાણિયા મજૂરના મોત થતા હાહાકાર મચી ગયો છે.

● કોલસાની ભૂગર્ભ ખાણમાં કેટલાએ મોત થયા છે તેનો અંદાજ નથી; રજકણથી મોતનું તાંડવ સર્જાઈ રહ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના 1999ના અંદાજ મુજબ, ભારતમાં લગભગ 30 લાખ કામદારો સીલીકોસીસના જોખમનો સામનો કરી રહ્યા હતા આ પૈકી જો 10 ટકા પણ ગુજરાતના ગણવામાં આવે તો 3 લાખ અને 5 ટકા ગણવામાં આવે તો 1.50 લાખ કામદારો સામે જોખમનો સહેજેય અંદાજ મૂકી શકાય તેમ છે.

● મોરબીને વિશ્વભરમાં સિરામિક સિટીની ઓળખતો મળી પણ પથ્થરના ખાણોમાં કામ કરતા શ્રમિકો જીવલેણ રોગનો શિકાર બની ગયા!

થાનમાં 1980ના દાયકામાં સીરામીક ઉદ્યોગ સ્થાપિત થયો. થાનગઢમાં 200-300થી વધુ નાના અને મોટા સીરામીક કારખાના કાર્યરત છે જ્યાં ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે

કારખાનાઓમાં સિરામિક ટાઇલ્સ સીરામીક પોટ,સેનેટરીવેર્સ,કપ-રકાબી,ડેકોરેશનને લગતી આઈટમો જેવી વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. અહીંના ઉત્પાદનોના ઉત્પાદન અને નિકાસમાં થાનગઢે પોતાના દેશની સાથે વિદેશી બજારોમાં પણ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શણગારની ચીજવસ્તુઓમાં માટીનું પ્રાચીન કૌશલ્ય અને આધુનિક ડિઝાઇન છે ઉત્પાદનની પ્રક્રિયામાં માટી, પાણી અને વીજળીનો ભરપૂર ઉપયોગ થાય છે, જે પર્યાવરણ પર નકારાત્મક અસર કરે છે થાનગઢ માથાદીઠ આવકમાં ભારતભરમાં ટોપ-થ્રીમાં હતુ અને ગુજરાતમાં નંબર-વન હતુ પણ સીલીકોસી રોગનો ભોગ કામદારો બન્યા તે પણ હકીકત છે.

● અહીં કારખાના દીઠ મોટા હપ્તા અસામાજિક તત્વોને આપવા પડતા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

● સરોડી ગામ મુખ્યત્વે ખેતી સિરામિક એકમો ઉપર નિર્ભર છે.

થાન તાલુકાના સરોડી 1800ની વસતી ધરાવતું ગામ છે આ ગામમાં મોટાભાગે કોળી, ભરવાડ, વાણંદ, દલીત, વાલ્મીકી સમાજની વસ્તી છે. મોટાભાગના લોકો ખેતી અને યુવાનો સિરામિકમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, સરોડી ગામની પ્રાથમિક શાળામાં 465 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

અહી સીરામીકમાં માટીનો કાચોમાલ બને અને કાચની પેસ્ટ બનાવે ત્યારે જે રજકણ ઉડે છે જેનાથી આયુષ્ય 10-20 વર્ષ ઓછું થઈ જાય છે,20 વર્ષ કામ કરે તો તેનું આરોગ્ય કથળવા લાગે છે અને લોકો સીલીકોસીસનો ભોગ બની રહયા છે.

અહીં કૃત્રિમ રેતી બનાવવામાં આવે છે,નદીઓ ખાલી થવા આવી હોય નદીની રેતીની શોર્ટેજ સર્જાતા હવે આ વિસ્તારમાં પથ્થર કાઢી પથ્થરને ભરડીને રેતી બનાવવામાં આવે છે આવા રેતીના પ્લાન્ટ 100થી વધારે આવેલા છે પરિણામે નાના કણોથી વ્યાપક પ્રદૂષણ થઈ રહ્યું છે.

● અહીં 3 તાલુકામાં 40થી 50 બેલાની ખાણો આવેલી છે.

ચોટીલાના વિંછીયામાં સૌથી વધુ ડુંગરાળ પ્રદેશ છે અહીં ઠાંગો ડુંગર,માંડવના ડૂંગર આવેલા છે તેમજ આણંદપર ચોટીલાનું છેલ્લું ગામ છે ત્યાં વીડી ત્યાં પથ્થરની ખાણો છે.

આમ,પથ્થરોથી ઉડતા રજકણ અને સીરામીક ફેક્ટરીઓના કારણે શ્રમિકો અને ગ્રામજનો રોગનો ભોગ બની રહયા છે ત્યારે આ મુદા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
  • February 1, 2026

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

Continue reading
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો
  • January 31, 2026

Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે,પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 2 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 7 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 7 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?