
Narendramodi: દેશમાં હાલ બે મુદ્દા ઉપર ખૂબજ ચર્ચા છે એક ટ્રમ્પ અને મોદી વિશેની એ ચર્ચા કે જેમાં ટ્રમ્પ 71મી વખત કહ્યું કે ભારત-પાક વચ્ચેનું સીઝ ફાયર તેમના કહેવાથી થયું અને દુનિયા આખીમાં ઢોલ પીટી રહયા છે પણ મોદી સાહેબ આ બાબતે ચુપકી સાધી બેઠા છે અને પોતે કઈ બોલતા નથી અને બીજો મુદ્દો છે શકરાચાર્ય ના પદ માટેનો એ મુદ્દો જે હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે.
વિશ્લેષકો આ મામલે પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહયા છે જેમાં The Gujarat Report ઉપર જાણીતા વિશ્લેષક અને પત્રકાર ડૉ. રાકેશ પાઠકે આ મુદ્દા ઉપર જોરદાર વિશ્લેષણ કરી પોતાનો મત રજૂ કર્યો હતો જે અહીં નીચે આપેલા વીડિયોમાં પ્રસ્તુત છે તે જોવાનું ચૂકશો નહિ આપને યાદ અપાવી દઈએ કે પ્રયાગરાજમાં પાલખી રોકવાનો મામલો ખૂબ ગાજયો અને આ બધા વચ્ચે તાજેતરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને માઘ મેળા પ્રશાસને નોટિસ જારી કરી છે.
મેળા પ્રાધિકરણે કહ્યું કે- તમે શંકરાચાર્ય છો એવું 24 કલાકમાં સાબિત કરો તે સમયે સોમવારે રાત્રે 12 વાગ્યે કાનૂનગો અનિલ કુમાર માઘ મેળામાં શંકરાચાર્યના શિબિરે પહોંચ્યા. તેમણે શંકરાચાર્યના શિષ્યોને નોટિસ લેવા કહ્યું. શિષ્યોએ નોટિસ લેવાનો ઇનકાર કર્યો. કહ્યું- આટલી રાત્રે કોઈ નથી. સવારે આવજો કાનૂનગો અનિલ કુમાર બીજા દિવસે મંગળવારે સવારે ફરી શંકરાચાર્ય શિબિરે પહોંચ્યા અને ત્યાં ગેટ પર નોટિસ ચોંટાડી દીધી. નોટિસ મેળા પ્રાધિકરણના ઉપાધ્યક્ષ દ્વારા જારી કરવામાં આવી હતી તેમાં લખ્યું હતું કે… જ્યોતિષ્પીઠમાં શંકરાચાર્ય પદનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે 14 ઓક્ટોબર 2022 ના રોજ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી આ કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી, ત્યાં સુધી કોઈને પણ શંકરાચાર્ય ઘોષિત કરી શકાય નહીં, ન તો કોઈનો પટ્ટાભિષેક કરી શકાય છે.
કોર્ટે આ પદ પર કોઈને બેસાડવા પર રોક લગાવી છે. આ મામલે અત્યાર સુધી કોઈ નવો આદેશ આવ્યો નથી. કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમ છતાં, માઘ મેળા દરમિયાન અવિમુક્તેશ્ર્વરાનંદે પોતાના શિબિરમાં લાગેલા બોર્ડ પર પોતાને જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય લખ્યા છે. આ કૃત્યથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે. 24 કલાકમાં જણાવો કે પોતાને શંકરાચાર્ય કેવી રીતે લખી રહ્યા છે.
● મૌની અમાસના દિવસે વિવાદ થયો હતો
મૌની અમાસે તા. 18 ફેબ્રુઆરીના રોજ શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ પાલખીમાં બેસીને શિષ્યો સાથે સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા તે સમયે પોલીસે તેમને રોક્યા. પગપાળા સંગમ માટે જવા કહ્યું. પરંતુ શિષ્યો માન્યા નહીં અને તેમની પાલખી ત્યાંથી દૂર લઈ જવામાં આવી,છત્ર તૂટ્યું, શંકારાચાર્ય ઘરણા ઉપર બેઠા વગરે ઘટનાક્રમ સર્જાયો અને ત્યારબાદ જે થયું તે સૌએ જોયું છે.હવે આ મુદ્દો હાલમાં ચર્ચાસ્પદ બની ગયો છે ત્યારે પ્રસ્તુત છે આ મુદ્દા ઉપર થયેલી ચર્ચા સાથેનું વિશ્લેષણ જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા










