Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

  • World
  • March 7, 2026
  • 0 Comments

Narendramodi: હિંદ મહાસાગરમાં ભારતના ગેસ્ટ રહેલા ઈરાની જહાજને અમેરિકાએ તોડી નાખતા હિંદ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે,ઈરાની નૌકાદળનું ફ્રિગેટ આઇરિસ ડેના 4 માર્ચ, 2026 ના રોજ શ્રીલંકાના ગેલ કિનારાથી આશરે 40 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય પાણીમાં યુએસ સબમરીને કરેલા ટોર્પિડો હુમલામાં ડૂબી ગયું. આ હુમલામાં 80 થી વધુ ખલાસીઓ માર્યા ગયા હતા, જ્યારે શ્રીલંકાના નૌકાદળે 32 ખલાસીઓને બચાવ્યા અને અન્ય લાપતા થયા.

આ એજ જહાજ હતું જે તા. 16 ફેબ્રુઆરીએ ભારતના વિશાખાપટ્ટનમ પહોંચ્યું, જ્યાં તેણે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026 અને બહુપક્ષીય કવાયત મિલાન 2026 માં અતિથિ વિશેષ તરીકે ભાગ લીધો. ભારતીય પૂર્વીય નૌકાદળ કમાન્ડે તેને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક ગણાવ્યું અને જ્યારે તે પરત ફરી રહ્યું હતું ત્યારે અમેરિકાએ તેને તોડી પાડ્યું ! આ ભારત માટે પણ સન્માન ભંગની ઘટના હતી કારણ કે જે મહેમાન આપણા દેશમાં આવે અને પાછા ફરતા હોય ત્યારે તેમને મારી નાખવામાં આવે તો તેણે ભારતની પણ કદર નથી કરી તેવું સાબિત થાય.

ઈરાનના વિદેશ મંત્રીએ આ જહાજને “ભારતનું અતિથિ (Guest of India)” ગણાવ્યું હતું અને કોઈ પણ ચેતવણી વગર કરવામાં આવેલા આ હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો,આ ઘટના બાદ ભારતે તેના પ્રાદેશિક જળસીમામાં નૌકાદળ તૈનાત કર્યા પરંતુ કેન્દ્ર સરકાર આ ઘટના ઉપર મૌન રહી. તેણે ન તો આ હુમલાની નિંદા કરી, ન તો આક્રોશ વ્યક્ત કર્યો, ન તો યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ રાજદ્વારી વિરોધ નોંધાવ્યો. આ મૌનથી દેશમાં રાજકીય હોબાળો મચી ગયો. વિરોધ પક્ષોએ એ પણ આક્ષેપ સાથે સવાલ કર્યો કે શું ભારતને આ હુમલાની અગાઉથી જાણકારી હતી?

કાનૂની અને વ્યૂહાત્મક નિષ્ણાતો કહે છે કે આ ઘટના ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને શોધ અને બચાવ ક્ષેત્રની બહાર બની હતી. સશસ્ત્ર સંઘર્ષના કાયદા હેઠળ આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાની યુદ્ધ જહાજ એક કાયદેસર લક્ષ્ય હતું. LEMOA કરારમાં પણ તમામ કિસ્સાઓમાં સ્પષ્ટ સંમતિની જરૂર છે.

2024 માં, ભારતીય નૌકાદળના વડાએ જાહેર કર્યું કે ભારત પાસે હિંદ મહાસાગરમાં “કોણ શું કરી રહ્યું છે, ક્યાં અને કેવી રીતે કરી રહ્યું છે” તે વિશે સંપૂર્ણ માહિતી છે. થોડા દિવસો પછી, ભારતીય બંદરથી રવાના થતું એક જહાજ તે જ વિસ્તારમાં ડૂબી ગયું,હિંદ મહાસાગરમાં ભારતનો મુખ્ય સુરક્ષા પ્રદાતા હોવાનો દાવો હવે માત્ર ક્ષમતાની જ નહીં પરંતુ સિદ્ધાંતની પણ કસોટી છે. જ્યારે સમુદ્ર કોઈ બીજાનું યુદ્ધક્ષેત્ર બનશે ત્યારે ભારત કેવું વર્તન કરશે? આ સવાલ હજુ પણ અનુત્તરિત છે.

ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓ અને વિશ્લેષકો આ ઘટનાને ભારત માટે “વ્યૂહાત્મક ક્ષોભ (Strategic Embarrassment)” ગણાવી રહ્યા છે કારણ કે ભારતની મહેમાનગતિ માણીને પરત ફરતા જહાજ પર ભારતના જ પાડોશમાં હુમલો થયો છે,ભારતની દરિયાઈ પ્રભુત્વ ધરાવતા પ્રદેશ (Strategic Backyard) માં આ પ્રકારની લશ્કરી કાર્યવાહી ભારતની પ્રાદેશિક વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.
વિપક્ષી નેતાઓ અને વિશ્લેષકો આ મામલે ભારતની મૌન ભૂમિકાની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ