Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

  • World
  • March 7, 2026
  • 0 Comments

Narendramodi: હિંદ મહાસાગરમાં ભારતના ગેસ્ટ રહેલા ઈરાની જહાજને અમેરિકાએ તોડી નાખતા હિંદ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે,ઈરાની નૌકાદળનું ફ્રિગેટ આઇરિસ ડેના 4 માર્ચ, 2026 ના રોજ શ્રીલંકાના ગેલ કિનારાથી આશરે 40 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય પાણીમાં યુએસ સબમરીને કરેલા ટોર્પિડો હુમલામાં ડૂબી ગયું. આ હુમલામાં 80 થી વધુ ખલાસીઓ માર્યા ગયા હતા, જ્યારે શ્રીલંકાના નૌકાદળે 32 ખલાસીઓને બચાવ્યા અને અન્ય લાપતા થયા.

આ એજ જહાજ હતું જે તા. 16 ફેબ્રુઆરીએ ભારતના વિશાખાપટ્ટનમ પહોંચ્યું, જ્યાં તેણે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026 અને બહુપક્ષીય કવાયત મિલાન 2026 માં અતિથિ વિશેષ તરીકે ભાગ લીધો. ભારતીય પૂર્વીય નૌકાદળ કમાન્ડે તેને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક ગણાવ્યું અને જ્યારે તે પરત ફરી રહ્યું હતું ત્યારે અમેરિકાએ તેને તોડી પાડ્યું ! આ ભારત માટે પણ સન્માન ભંગની ઘટના હતી કારણ કે જે મહેમાન આપણા દેશમાં આવે અને પાછા ફરતા હોય ત્યારે તેમને મારી નાખવામાં આવે તો તેણે ભારતની પણ કદર નથી કરી તેવું સાબિત થાય.

ઈરાનના વિદેશ મંત્રીએ આ જહાજને “ભારતનું અતિથિ (Guest of India)” ગણાવ્યું હતું અને કોઈ પણ ચેતવણી વગર કરવામાં આવેલા આ હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો,આ ઘટના બાદ ભારતે તેના પ્રાદેશિક જળસીમામાં નૌકાદળ તૈનાત કર્યા પરંતુ કેન્દ્ર સરકાર આ ઘટના ઉપર મૌન રહી. તેણે ન તો આ હુમલાની નિંદા કરી, ન તો આક્રોશ વ્યક્ત કર્યો, ન તો યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ રાજદ્વારી વિરોધ નોંધાવ્યો. આ મૌનથી દેશમાં રાજકીય હોબાળો મચી ગયો. વિરોધ પક્ષોએ એ પણ આક્ષેપ સાથે સવાલ કર્યો કે શું ભારતને આ હુમલાની અગાઉથી જાણકારી હતી?

કાનૂની અને વ્યૂહાત્મક નિષ્ણાતો કહે છે કે આ ઘટના ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને શોધ અને બચાવ ક્ષેત્રની બહાર બની હતી. સશસ્ત્ર સંઘર્ષના કાયદા હેઠળ આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાની યુદ્ધ જહાજ એક કાયદેસર લક્ષ્ય હતું. LEMOA કરારમાં પણ તમામ કિસ્સાઓમાં સ્પષ્ટ સંમતિની જરૂર છે.

2024 માં, ભારતીય નૌકાદળના વડાએ જાહેર કર્યું કે ભારત પાસે હિંદ મહાસાગરમાં “કોણ શું કરી રહ્યું છે, ક્યાં અને કેવી રીતે કરી રહ્યું છે” તે વિશે સંપૂર્ણ માહિતી છે. થોડા દિવસો પછી, ભારતીય બંદરથી રવાના થતું એક જહાજ તે જ વિસ્તારમાં ડૂબી ગયું,હિંદ મહાસાગરમાં ભારતનો મુખ્ય સુરક્ષા પ્રદાતા હોવાનો દાવો હવે માત્ર ક્ષમતાની જ નહીં પરંતુ સિદ્ધાંતની પણ કસોટી છે. જ્યારે સમુદ્ર કોઈ બીજાનું યુદ્ધક્ષેત્ર બનશે ત્યારે ભારત કેવું વર્તન કરશે? આ સવાલ હજુ પણ અનુત્તરિત છે.

ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓ અને વિશ્લેષકો આ ઘટનાને ભારત માટે “વ્યૂહાત્મક ક્ષોભ (Strategic Embarrassment)” ગણાવી રહ્યા છે કારણ કે ભારતની મહેમાનગતિ માણીને પરત ફરતા જહાજ પર ભારતના જ પાડોશમાં હુમલો થયો છે,ભારતની દરિયાઈ પ્રભુત્વ ધરાવતા પ્રદેશ (Strategic Backyard) માં આ પ્રકારની લશ્કરી કાર્યવાહી ભારતની પ્રાદેશિક વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.
વિપક્ષી નેતાઓ અને વિશ્લેષકો આ મામલે ભારતની મૌન ભૂમિકાની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય