
■ મધુ કિશ્વરનો દાવો ‘મને ગુજરાતથી કહેવામાં આવ્યું કે ધ્યાન રાખજો ક્યાંક રૂપાણી જેવું ન થાય! વિમાન મુસાફરી ટાળવા સલાહ! RSS અને મોદીના નજીકના વ્યક્તિઓનો શુ ઉલ્લેખ કર્યો? જાણો આખો મામલો
Madhu Kishwar: મધુ કિશ્વરે The Gujarat Report ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની ચર્ચા દરમ્યાન ઘણા નવા ખુલાસા કર્યા તેઓને ગુજરાતથી મોદીને નજીકથી ઓળખતા લોકોએ હવાઈ મુસાફરી ટાળવા સલાહ આપી છે જેમાં ક્યાંક રૂપાણી જેવું ન થાય તેનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવી હતી તેઓએ એમપણ કહ્યું કે તેમની ઉપર ધમકીભર્યા ઘણા ફોન આવે છે અને અગાઉ પણ તેની પોલીસ કમિશનર સહિત સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરી હતી.
તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમને ભૂતપૂર્વ સીએમ રૂપાણીની જેમ રસ્તામાંથી હટાવવાની ધમકી મળી છે. તેઓ પીએમ મોદી પર વ્યક્તિગત આચરણ, સીઆઈએ (CIA) પ્લાન્ટ અને હિન્દુ સમાજને નબળો પાડવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલ 2026ના રોજ કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકોને “અભણ” કહીને વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું કે, “મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળની નહીં”. આ નિવેદન અંગેપણ સિનિયર પત્રકાર મયુર જાનીએ ચર્ચા કરી હતી.
આપને જણાવી દઈએ કે મધુ પૂર્ણિમા કિશ્વર એક જાણીતા ભારતીય શૈક્ષણિક (Academic), લેખિકા અને સામાજિક કાર્યકર છે. તેઓ ખાસ કરીને મહિલા અધિકારો અને સામાજિક મુદ્દાઓ પરના તેમના કાર્યો માટે જાણીતા છે.
જેઓ નરેન્દ્ર મોદી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતા હાલ ચર્ચામાં છે જેઓએ The Gujarat Report ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે ચર્ચામાં ભાગ લીધો હતો જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








