
Bengal: પ.બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે આ વખતે ખરાખરીનો મુખ્ય જંગ મનાઈ રહ્યો છે,મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને તેમની સામે ભાજપે સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે,ભાજપ અને RSS એ બંગાળમાં હિન્દુત્વ માટે માઈક્રો મેનેજમેન્ટ અને 12 વિશેષ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે,અહીં હિન્દુઓની સુરક્ષા અને બાંગ્લાદેશી ઘૂસણખોરી જેવા મુદ્દાઓને સતત ઉઠાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ પોલિસી હેઠળ બાંગ્લાદેશીઓને ભગાડવાની ખાત્રી આપી હિન્દુઓને નિર્ભય બનાવવાની વાત કરી રહયા છે અને હિંદુત્વ તેમજ સંસ્કૃતિ જાળવવા ઉપર ફોક્સ કર્યું છે
બંગાળના ‘સાંસ્કૃતિક પતન’ અને બંગાળી ઓળખના મુદ્દાઓને જોડીને TMC ને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો છે ત્યારે ભાજપ અને RSSની આ રણનીતિ બંગાળમાં સ્થાનિક રાજકારણમાં કેટલી અસરકારક રહેશે તે અંગે જ્યારે વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ પ્રોફેસર અને જાણીતા વિશ્લેષક પ્રશંજીત વિશ્વાસને પૂછતાં તેઓએ કહ્યું હતું કે અહીં હિન્દુત્વનો મુદ્દો કામ લાગશે નહિ પરંતુ બંગાળની સત્તા સુધી પહોંચવા માટે તેને સ્થાનિક સંસ્કૃતિ અને વિકાસના મુદ્દાઓ સાથે સંતુલિત કરવો જરૂરી બને છે.
મહત્વનું છે કે પ્રોફેસર પ્રશંજીત વિશ્વાસ બંગાળના સ્થાનિક રાજકારણથી વાકેફ છે તેઓ શિલોંગમાં આવેલી નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી (NEHU) ના ફિલોસોફી (તત્વજ્ઞાન) વિભાગમાં પ્રોફેસર છે. તેઓ એક જાણીતા ભારતીય વિચારક, લેખક અને માનવાધિકાર કાર્યકર્તા પણ છે તેઓ વર્ષ 2011 થી NEHU માં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.
પ્રશંજીત વિશ્વાસ સિલચર સ્થિત ‘બરાક હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન કમિટી’ (BHRPC) સાથે જોડાઈને માનવાધિકાર રક્ષક તરીકે સક્રિય રીતે કાર્ય કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલના રોજ ૧૫૨ બેઠકો પર અને બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલના રોજ ૧૪૨ બેઠકો પર થશે પરિણામ: ચૂંટણીનું પરિણામ ૪ મે, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે.
The Gujarat Reportના MD અને વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ બંગાળની રાજનીતિ અંગે પ્રશંજીત વિશ્વાસ સાથે કરેલી ચર્ચા અને વિસ્તુત વિશ્લેષણ જોવા માટે નીચે આપેલો વિડીયો જરૂર જુઓ.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









