
DELHI BLAST | દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ફરીદાબાદ મોડ્યુલ કનેક્શન સામે આવ્યા બાદ લેટેસ્ટ જાણકારી મુજબ તપાસ એજન્સીઓને વધુ એક મોટી કડી હાથ લાગી છે, જેમાં મૌલવીઓની પણ ભૂમિકા ખુલી પડી છે
ફરીદાબાદ, સહારનપુર અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક સ્થળોએ શંકાસ્પદ આતંકવાદી ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પૈકીના ઇરફાન અહેમદ કે જે ડોક્ટર નથી પણ ઇમામ હોવાની વાતનો ખુલાસો થયો છે.
ઇરફાન અહેમદની ધરપકડથી હવે આતંકવાદી કાવતરામાં માત્ર ડોક્ટરો જ નહીં, પણ મૌલવીઓની સંડોવણીનો પર્દાફાશ થયો છે.
હકીકતમાં, ફરીદાબાદ મોડ્યુલના સંબંધમાં જે સાત ધરપકડ કરવામાં આવી છે તેમાં એક નામ ઇમામ ઇરફાન અહેમદનું છે. ઇરફાન અહેમદ જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ધરપકડ કરેલા સાત વ્યક્તિઓમાંનો એક છે. તેની શ્રીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, ફરીદાબાદમાં અટકાયત કરાયેલા મૌલવી હાફિઝ મોહમ્મદ ઇશ્તિયાકની પૂછપરછ પણ ચાલુ છે.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પછી તપાસ એજન્સીઓ સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવી છે.
તે જ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલને ઓળખતા લગભગ 52 લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે વધુ ભેદ ખુલવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






