Dhanteras 2025:  આજે ધનતેરસના દિવસે આ ખાસ ઉપાય કરવાથી શનિની પનોતીમાંથી મળશે છુટકારો,ફટાફટ આટલું કરો

  • India
  • October 18, 2025
  • 0 Comments

Dhanteras 2025:  આજે ધન તેરસનું પર્વ પણ છે અને આજે યોગાનુયોગ ભગવાન શનિનો શનિવાર પણ છે,ભગવાન શનિ ન્યાયના દેવતા માનવામાં આવે છે,હાલમાં પાંચ રાશિઓ ઉપર શનિની પનોતીનો પ્રભાવ ચાલુ છે. જેઓ નાણાકીય, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો જીવનમાં સામનો કરી રહયા છે તેમના કામમાં અવરોધો આવી રહયા છે, પૈસા મળતા નથી અને અકસ્માતો અને બીમારીની શક્યતાઓ રહે છે. જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે. એકંદરે સાડા સાતી પનોતી જીવનમાં ઉથલપાથલ લાવે છે.

આપને જણાવી દઈએ કે હાલમાં, શનિ મીન રાશિમાં વક્રી છે અને આજે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ છે.આવી સ્થિતિમાં, શનિના દુ:ખોથી મુક્તિ મેળવવાનો આ એક સુવર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે.

હાલમાં કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી અને સિંહ અને ધન રાશિના જાતકો પણ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ જાતકોએ શનિના પ્રકોપથી રાહત મેળવવા માટે આજે તા. 18 ઑક્ટોબરે ધનતેરસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવો ઓછા થઈ શકે છે.

આજે ધનતેરસના દિવસે આવા જાતકોએ ભગવાન શનિ મંદિરમાં જઈ દર્શન કરી સરસવના તેલનો દીવો પ્રગટાવો.પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકાય તેનાથી શનિના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. કામ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

આ સિવાય અસહાય, ગરીબની શક્ય મદદ અને સેવા ઉપરાંત મૂંગા પશુ-પક્ષી-પ્રાણીઓને ભોજન-પાણી-દાણા આપો અને તેમની સેવા કરો. ગાય, કાગડા અને કૂતરાઓને રોટલી ખવડાવો. ગરીબને ભોજન કરાવો. અસહાય લોકોની મદદ કરવાથી પણ ભગવાન શનિની કૃપા થાય છે.

ધનતેરસના આજના દિવસે પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત બાદ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આજના દિવસે પનોતી ધરાવતા જાતકોએ સરસવનું તેલ, તલ, લોખંડ, અડદ દાળ વગેરેનું દાન કરવાથી પણ શનિ દેવની કૃપા બની રહે છે અને જીવનમાં આવતા કષ્ટ ઓછા થાય છે અને અવરોધ આવતા નથી.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!