Donald Trump: ટ્રમ્પને ‘પ્રાંતવાદ’નું શસ્ત્ર મળી ગયું! અમેરિકનો હવે ભારતીયોને ગાળો દઈ રહ્યા છે!

  • World
  • January 16, 2026
  • 0 Comments

●અહીં મુંબઈમાં જાવ અને નોકરી ધંધો કરો તો ત્યાંના નેતા લોકો (મનસે-શિવસેના) કહે આ અમારું મરાઠી લોકોનું ગામ છે અન્ય રાજ્યના લોકોનું નથી અહીં મરાઠી જ બોલાવી પડશે અમે કહીએ તેમ કરવું પડશે એમ કહી મારઝૂડ કરાય છે અત્યાચાર થાય છે, તેવું જ કઈક હવે ટ્રમ્પ શીખી ગયા છે તેઓએ હવે એવું ચાલુ કર્યું છે કે અમેરિકા અમારું છે “ઇન્ડિયનોને અહીંથી કાઢો અમેરિકા અમારું છે!”આ બધું હવે દુનિયાભરમાં શરૂ થઈ ગયું છે,સામાન્ય જનતા તેનો ભોગ બને છે પણ તેઓ કઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી હોતા! શાસકો કેટલા વર્ષ સુધી લોકોને મૂર્ખ બનાવતા રહેશે?

Donald Trump: ‘ભાગલા પાડો અને રાજ કરો’ એકદમ ઇઝી આ રીત હવે દુનિયાભરમાં જોવા મળી રહી છે અને માનવ જાતને અલગ પાડવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે,જો જનતા એક થઇ જાયતો શાસકો રાજ કેવી રીતે કરી શકે?બધેજ જાતિવાદ,કોમવાદ,પ્રાંતવાદના વાડા ઉભા કરી શાસકો રાજ કરી રહયા છે.

ભારતમાં અંગ્રેજોએ જાતિવાદ,કોમવાદ ઉભો કરી તેઓએ વર્ષો સુધી બધાને અલગ રાખી અંદરોઅંદર વેર ઝેર સળગતું રાખી રાજ્ય કર્યું આજ વસ્તુ અત્યારે પણ થઈ રહી છે અને જે વિસ્તારમાં જે જાતિની વધુ વસ્તી હોય ત્યાં તેમની જાતિના નેતાને રાજકીય પાર્ટી ટીકીટ આપે અને જાતિવાદના જોરે તેને ચૂંટી કાઢે અને ત્યાં વિકાસની જરૂર નથી હોતી બસ અહીં તેમની જાતિના ઝગડા કે અન્ય કોઈ બબાલ થાય ત્યારે તે નેતાએ પહોંચી જવાનું અને પોતાની જાતિના વ્યક્તિ અને સમાજને સપોર્ટ કરવાનો બસ આવું બધે ચાલી રહ્યું છે પછી જો મિક્સ વસ્તી હોય તો પ્રાંતવાદ ઉભો કરી નેતાઓ રાજ કરે છે.

દાખલા તરીકે મુંબઈમાં જે રીતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે માત્ર મરાઠી બોલવાનું અને બહારથી આવીને ધંધો કરતા લોકો અને વેપારીઓને ટાર્ગેટ કરવાનું અભિયાન ચલાવે છે જેનાથી દેશના નાગરિકો વચ્ચે વેરઝેર ઉભું કરાય છે અને કાઈ ન મળે તો પછી હિન્દૂ-મુસ્લિમ-ખ્રિસ્તી-શીખ-ઈસાઇ વગરે તો છેજ આ બધુજ અજમાવી શાસકો તેમની મરજી પ્રમાણે રાજ કરે છે.

હવે અમેરિકામાં પણ ટ્રમ્પે આ સસ્તો આઈડિયા શોધી કાઢ્યો છે અને તેઓએ પણ પ્રાંતવાદ શરૂ કરી બહારથી આવેલા લોકોને ટાર્ગેટ કરી સ્થાનિક લોકોને ઉશ્કેરી રાજ કરવાની વૃત્તિ શરૂ કરી છે હવે ટ્રમ્પે ભારતીય સમુદાયને પણ વિલન ચિતરી દઈ બહારના લોકો સ્થાનિક અમેરિકનોની નોકરીઓ ખાઈ જતા હોવાનો માહોલ ઉભો કરી નફરત ફેલાવવાનું શરૂ કર્યું છે.

વિદેશી નાગરિકો સ્થાનિકોના નોકરીના અધિકારો છીનવી લે છે એવું નરેટિવ ફેલાવી રહયા છે ઉપરાંત વિદેશી નાગરિકો ગેરકાયદે ઘૂસે છે તેનાથી સુરક્ષા જોખમાય છે એવા દાવાના કારણે અમેરિકા હવે ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે સલામત રહ્યું નથી’ભાગલા પાડો રાજ કરો’ની નીતિના કારણે પ્રાંતવાદ ઉભો કરી એકબીજાને દુશ્મન બનાવી દેવાતા અમેરિકામાં વિદેશી નાગરિકો પર થઈ રહેલી હિંસામાં છેલ્લાં એક વર્ષમાં ૧૨ ટકાનો વધારો થયો છે.

ઓનલાઈન સોશયલ મીડિયામાં પણ ભારતીયોને ટાર્ગેટ કરીને ગાળો દેવાય છે અને અપશબ્દોનો ઉપયોગ ૬૯ ટકા સુધી વધી ગયો છે અમેરિકાના નાગરિકો ભારતીયો માટે વિઝા સ્કેમર્સ, ઘૂસણખોરો, નોકરી ચોર જેવા શબ્દોથી પ્રયોજે છે અને જાહેરમાં અપમાન કરી રહયા છે ત્યાંના લોકો ભારતીયોને ‘નીચ અને ગરીબો’ કહી ધૂતકારે છે.

ફેડએક્સ, વોલમાર્ટ, વેરિઝોન જેવી કંપનીઓ ભારતીયોને નોકરી આપતી હોવાથી અમેરિકી નાગરિકો હવે આ કંપનીઓને પણ ટાર્ગેટ કરી ગાળો આપી રહયા છે અને સોશિયલ મીડિયામાં આ કંપનીઓ વિરૂદ્ધ સેંકડો પોસ્ટ થતી રહે છે ફેડએક્સના ભારતીય મૂળના સીઈઓ રાજ સુબ્રમણિયમને સોશિયલ મીડિયામાં ટાર્ગેટ કરાયા હતા. “અમેરિકન કંપનીઓ પર ભારતીયોનો કબજો અટકાવો” એ પ્રકારનું ઓનલાઈન કેમ્પેઈન ચાલી રહ્યું છે ટ્રમ્પ સમર્થકો સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય મૂળના ટેકનોક્રેટ્સ સામેય મન ફાવે તેવા નિવેદન કરી અપમાનિત કરી રહયા છે.

જાતિવાદ,કોમવાદ,પ્રાંતવાદ હવે ભારત પૂરતા સીમિત નહિ રહેતા હવે દુનિયાભરમાં ઝડપથી દાવાનળ બની ફેલાઈ રહયા છે જેમાં માનવજાતનું નિકંદન નિકળી રહ્યું છે ત્યારે શાસકો પોતાના સ્વાર્થ માટે ગમેતે હદે જઈ શકે તે આ વાતનું ઉદાહરણ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 2 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 6 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 8 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો