
Youtuber Jyoti Malhotra: દેશમાં હાલ જે વધારે ભક્તિ કરતા જોવા મળે છે તે પાછળથી દેશદ્રોહી નિકળે છે. જેનું ઉદાહરણ જ્યોતિ મલ્હોત્રા છે. તે બંન્ને દેશો વચ્ચે સબંધ સુધારવાની વાત કરી રહી હતી. પહેલગામ હુમલા બાદનો તેનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે ડહાપણની વાતો કરતી નદરે પડી રહી છે ત્યારે હવે સવાલ તે થાય છે કે દેશમાં જ્યોતિ જેવા કેટલા લોકો રહેતા હશે જે અંધભક્તના વેશમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા હશે?
જ્યોતિ મલ્હોત્રાની વૈભવી જીવન જીવવાની લાલચે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ તરફ ધકેલી
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, તે એક સામાન્ય ઘરની છોકરી છે. પરંતુ વૈભવી જીવન જીવવાનની લાલચના કારણે તે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ. નાનકડા ઘરમાં તેના પિતા સાથે રહેતી જ્યોતિને પૈસા કમાવવાની એટલી તીવ્ર ઈચ્છા હતી કે તેણે 12 મું પાસ કરતાની સાથે જ નોકરી શોધવાનું શરૂ કરી દીધું તે લગભગ 14 વર્ષ પહેલાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. રિસેપ્શનિસ્ટની નોકરી છોડ્યા પછી, તેણીએ હિસારથી 20 કિમી દૂર એક ખાનગી શાળામાં ભણાવવાનું શરૂ કર્યું. નવી નોકરી શોધવાની અને જૂની નોકરી છોડી દેવાની ઇચ્છા સાથે જ્યોતિનું જીવન આ રીતે આગળ વધ્યું. પરંતુ તેણી જે સ્વપ્ન જોતી હતી તે બધું કરી શકી નહીં. કોરોના સમયગાળા દરમિયાન, જ્યારે તેણી ગુરુગ્રામમાં તેની છેલ્લી નોકરી છોડીને હિસાર પહોંચી, ત્યારે તેણીએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જ્યારે જ્યોતિએ યુટ્યુબ વીડિયો અને ટ્રાવેલ બ્લોગિંગથી પૈસા કમાવવાનું શરૂ કર્યું, ત્યારે તેણે આ માર્ગ પર આગળ વધવાનું નક્કી કર્યું. અહીંથી જીવનની વાર્તાએ વળાંક લીધો. મોટી ગાડીઓમાં મુસાફરી કરવાની, પ્રખ્યાત લોકો સાથે મળવાની, ખાવા-પીવાની અને બેંક ખાતામાં મોટી રકમ રાખવાની ઇચ્છાએ જ્યોતિને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ તરફ ધકેલી દીધી.
હુમલો કરતા પહેલા પાકિસ્તાનને કરી જાણ
મહત્વનું છે કે, હવે એવું સામે આવ્યું છે કે, ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો તેની જાણકારી ભારત સરકાર દ્વારા પહેલાથી જ પાકિસ્તાનને આપી દેવામા આવી હતી આ માહિતી બીજુ કોઈ નહીં પરંતુ ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે આપી હતી. જેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે જેથી લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, હુમલા પહેલા પાકિસ્તાન સુધી આ માહિતી પહોંચાડવી મુખર્તા તો હતી પરતુ તે એક ગુનો પણ છે. આ માહિતી પાકિસ્તાનને પહોંચાડવાની પરવાનગી કોને આપી ? તેના કારણે વાયુસેનાએ કેટલા વિમાનો ખોયા, મોદી સરકાર સેનનાના જવાનો પ્રત્યે આટલી બેજવાબદાર કેવી રીતે થઈ શકે?
ટ્રમ્પની મધ્યસ્થીને લઈને ઉઠ્યા સવાલ
ટ્રમ્પની મધ્યસ્થીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આપણને દરેક વાતની જાણકારી પહેલા અમેરિકાથી કેમ મળી રહી છે.? ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરાની જાહેરાત પહેલા ટ્રમ્પે કરી પછી બંન્ને દેશોએ કરી, ત્યારે બાદ કઈ શર્ત પર સંઘર્ષ વિરામ કરવામાં આવ્યું, વેપારની વાત તમામ વાતો ટ્રમ્પ કરી રહ્યા છે જ્યારે ભારત સરકાર ટ્રમ્પના નિવેદનો પર ચુપ્પી સાધી છે.
તિરંગા યાત્રામાં લાગ્યા હિન્દુવાદી નેતાએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા
આગ્રામાં અખંડ ભારત હિન્દુ મહાસંઘના લોકોએ તિરંગા યાત્રા કાઢી હતી. આ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદને બદલે ઝિંદાબાદના નારા લાગ્યા હતા. આગરામાં તિરંગાયાત્રામાં હિન્દુવાદી નેતાઓએ જોશજોશમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા અને જ્યારે તેમને ભાન થયું ત્યારે તેમણે માફી માંગતી હતી. તેમણે કહ્યું કે, તેમનાથી જોશમાં હોશ ખોઈ બેઠા.
આ પણ વાંચોઃ
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત
શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે
Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!