મનમોહન સિંહે જનતાને આપ્યો માહિતીનો અધિકાર તો ગરીબો માટે લાવ્યા મનરેગા યોજના

  • India
  • December 27, 2024
  • 1 Comments

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ડૉ.મનમોહન સિંહના નામે ઘણી ઉપલબ્ધિઓ છે. આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું.

મનમોહન સિંહ જનતાના દરેક વર્ગ માટે વિચારતા હતા. તેથી જ તેઓ ગરીબોથી લઈને ઉદ્યોગપતિઓને મુશ્કેલીઓ દૂર કરવા માટેની જ યોજનાઓ લોન્ચ કરતાં હતા. બધા જ વર્ગોના ઉત્થાન અને વિકાસ માટે સતત કાર્યશીલ રહેતા મનમોહન સિંહના નામે એક નહીં પરંતુ અનેક સિદ્ધિઓ રહેલી છે.

મનમોહન સિંહ જ હતા કે, તેમના કાર્યકાળમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું. તો એક વખત ફરીથી ખેડૂતોના દેવા માફ કરવાનું કોંગ્રેસ તરફથી વચન આપવામાં આવ્યું હતું પરંતુ 2024માં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી શકી નહતી. નહીંતર બીજી વખત મનમોહનસિંહ પાસે જ જ ખેડૂતોનું દેવું માફ કરવા માટેની પ્લાનિંગ બનાવવું પડ્યું હોઈ શક્યું હોત.

ડૉ. મનમોહન સિંહે નાણામંત્રી તરીકે સેવા આપતાં 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સરકારી નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે જેણે ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું.

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (NREGA)

ડૉ. મનમોહન સિંહની સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો વર્ષ 2005માં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની વેતન રોજગારની બાંયધરી આપે છે, લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરે છે અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરે છે.

માહિતી અધિકાર અધિનિયમ (RTI)

વર્ષ 2005માં પસાર થયેલી માહિતી અધિકાર અધિનિયમ (RTI) નાગરિકોને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે છે.

આધાર સુવિધા

આધાર પ્રોજેક્ટની શરૂઆત રહેવાસીઓને અનન્ય ઓળખ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી, જે વિવિધ સેવાઓની ઍક્સેસની સુવિધા આપે છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

ડૉ. મનમોહન સિંહની સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરી, જેણે કલ્યાણ વિતરણને સુવ્યવસ્થિત કર્યું અને ઘણી ખામીઓ દૂર કરી.

ખેડૂતો માટે લીધો હતો મોટો નિર્ણય

કૃષિ સંકટને દૂર કરવા માટે, ખેડૂતોને 60,000 કરોડ રૂપિયાની લોન માફી દ્વારા રાહત આપવામાં આવી હતી.

ભારત-અમેરિકા પરમાણુ કરાર

ડૉ.મનમોહન સિંહની સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરારની વાટાઘાટો હતી. આ કરાર હેઠળ ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં છૂટ મળી છે. આ અંતર્ગત ભારતને તેના નાગરિક અને સૈન્ય પરમાણુ કાર્યક્રમોને અલગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડીલ હેઠળ ભારતને એવા દેશોમાંથી યુરેનિયમની આયાત કરવાની છૂટ આપવામાં આવી હતી જેની પાસે આ ટેક્નોલોજી છે.

Related Posts

Arvind Kejriwal: લોકશાહી શાસનમાં પહેલીવાર ED-CBIની કામગીરી સામે લોકોમાં વિશ્વાસ તૂટ્યો!! CMને જેલભેગા કરી દિલ્હીની ગાદી કબ્જે કરવાનો શુ આ પ્લાન હતો? તપાસ એજન્સીઓએ કોના ઈશારે કામ કર્યું?
  • March 1, 2026

Arvind Kejriwal: દિલ્હીના લિકર સ્કેમ કાંડ બાદ હવે ED-CBI જેવી તપાસ એજન્સી હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે અને લોકોનો વિશ્વાસ તોડી નાખ્યો છે આ એજન્સીઓ માત્ર સરકારના ઈશારે કામ…

Continue reading
India: ફ્રાન્સના પ્રમુખ મૈક્રોં ભારત આવ્યા PM મોદી સાથે ફોટા પડાવ્યા મોટી મોટી જાહેરાતો કરી અઠવાડિયામાં બધું ભૂલી પણ ગયા! જાણો આખો મામલો
  • February 25, 2026

■ફ્રાન્સે ભારતને તેના રાફેલ સોર્સ કોડ આપવાનો ઇન્કાર કરી દીધો છે જેથી હવે 114 રાફેલ ફાઇટર ખરીદવા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે હવે જુના સાથી એવા રશિયાના Su-57 રાફેલ જેટનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

  • March 3, 2026
  • 4 views
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 3, 2026
  • 8 views
Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

  • March 3, 2026
  • 12 views
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

  • March 3, 2026
  • 7 views
Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો

  • March 3, 2026
  • 7 views
Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!

  • March 3, 2026
  • 15 views
Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!