Shankaracharya: ભારે હૈયે સ્નાન કર્યા વગરજ માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરતા કહ્યું,કે “મુઘલો જેવું વર્તન કરનારાઓ ખુલ્લા પડ્યા છે!”

  • India
  • January 28, 2026
  • 0 Comments

Shankaracharya: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ભારે હૃદયે પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરી છે,આજે બુધવારે સવારે એક પત્રકાર પરિષદમાં બોલાવી તેઓ એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ શ્રદ્ધા અને ભક્તિ સાથે માઘ મેળામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિઓ એવી બની ગઈ કે તેમને સ્નાન કર્યા વિના પાછા ફરવું પડી રહ્યું છે.

તેમણે કહ્યું કે પ્રયાગરાજ હંમેશા શાંતિ, શ્રદ્ધા અને શાશ્વત પરંપરાઓની ભૂમિ રહી છે, અને અહીંથી આ રીતે પાછા ફરવું તેમના માટે અત્યંત પીડાદાયક છે શંકરાચાર્યએ કહ્યું કે આ એક એવી ઘટના બની જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી થયા. તેમણે સ્પષ્ટતા કરી કે માઘ મેળામાં સ્નાન કરવું એ તેમના માટે ફક્ત ધાર્મિક કાર્ય નહોતું, પરંતુ શ્રદ્ધાનો વિષય હતો. આમ છતાં, તેમણે વર્તમાન પરિસ્થિતિઓમાં મેળો છોડવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

શંકરાચાર્યએ કહ્યું, “અમે અન્યાયનો અસ્વીકાર કર્યો છે અને ન્યાયની રાહ જોઈશું. આજે શબ્દો સાથ નથી આપી રહ્યા,અવાજ ભારે છે. પ્રયાગરાજની ભૂમિ પર જે કઈ બન્યું તેનાથી અમારો આત્મા કકળી ઉઠ્યો છે, હચમચી ગયો છે.

“અમે સંગમમાં સ્નાન કર્યા વિનાજ પરત જઈ રહ્યા છીએ, પરંતુ અમે સત્યનો પડઘો પાછળ છોડતા જઈ રહ્યા છીએ.”

બધું જ કહેવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે અને આજે સવારે, વહીવટીતંત્ર દ્વારા અમારા મુખ્ય કાર્યકારી અધિકારીને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ તમે જવા માંગો છો, ત્યારે અમે તમને સન્માનપૂર્વક સ્નાન કરાવવા માટે તૈયાર છીએ. બધા અધિકારીઓ હાજર રહેશે અને ફૂલોનો વરસાદ કરશે, પરંતુ તે દિવસની ઘટના માટે કોઈ માફી માંગવામાં આવી ન હતી. અમને લાગ્યું કે જો અમે સ્નાન કરીશું અને ફૂલોનો વરસાદ ગોઠવીશું, તો તે દિવસની અપમાનની વાત અધૂરી રહી જાત.

જ્યોતિર્મઠના મુખ્ય પૂજારી સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજે કહ્યું, ખરો મુદ્દો એ છે કે જેના માટે અમે દસ દિવસ ફૂટપાથ પર બેઠા હતા.
અમે આટલો સમય આપ્યો, પરંતુ દસ કે અગિયાર દિવસ વીતી ગયા પછી, જ્યારે અમે જવાનો નિર્ણય કર્યો, ત્યારે વહીવટીતંત્ર તરફથી આ પ્રસ્તાવ આવ્યો. તેથી, અમે તેને સ્વીકાર્યો નહીં. જો મેં વહીવટીતંત્રની વિનંતી સ્વીકારી હોત અને સ્નાન કર્યું હોત, તો હું મારા ભક્તોને ન્યાય આપી શક્યો ન હોત કે જેઓનું પણ સરાજાહેર અપમાન કરાયુ હતું.

શંકરાચાર્યએ કહ્યું કે મુઘલોના સમયમાં જે બન્યું તે આજે પણ થઈ રહ્યું છે એક તરફ ગૃહમંત્રીએ કહે છે કે સંતોનું અપમાન સહન કરવામાં આવશે નહીં અને બીજી તરફ, માઘ મેળામાં સંતોને ઢસડીને તેમની ચોટલી પકડીને ખેંચીને મારવામાં આવ્યા હતા. આજે અહીં જે અપમાન થયું તે સરકારના બેવડા પાત્રને ઉજાગર કરે છે. શંકરાચાર્યે બે મિનિટનું મૌન પાળ્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે સંતોનું અપમાન કરનારાઓને સજા મળે.

સંગમ કિનારે હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો આ દિવસોમાં, પાછળથી અમારી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
જો સ્થાનિક વહીવટીતંત્રે આ બધું કર્યું હોતતો ઠીક પરંતુ આ ઘટનાક્રમ પાછળ યુપી સરકારનો હાથ છે જે દુઃખદ બાબત છે.

● સનાતનનો વિરોધ કરનારાઓને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી : શંકરાચાર્ય

પત્રકારોને સંબોધતા, શંકરાચાર્યએ કહ્યું, “આપણે પ્રયાગરાજની આ પવિત્ર ભૂમિ પર આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે આવીએ છીએ, પરંતુ આજે આપણે એક શૂન્યતા અને ભારે હૃદય સાથે પાછા ફરવુ પડી રહ્યું છે,જેની અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

પ્રયાગરાજમાં જે બન્યું તેનાથી ફક્ત અમારા આત્માને જ હચમચાવી દીધા નથી, પરંતુ ન્યાય અને માનવતામાં આપણી સામૂહિક શ્રદ્ધા પર પણ સવાલ ઉઠ્યા છે.

સંગમના મોજામાં સ્નાન કરવું એ ફક્ત ધાર્મિક કાર્ય નથી પણ આંતરિક પરિપૂર્ણતાનો માર્ગ છે. પરંતુ આજે અમારા હૃદય એટલા દુઃખી છે કે અમે સ્નાન કર્યા વિના જ પરત જઈ રહ્યા છીએ, આ સંકલ્પને અધૂરો છોડી રહ્યા છીએ.
જ્યારે હૃદય વેદના અને પસ્તાવાથી ભરાઈ જાય છે, ત્યારે પાણીની શીતળતા પણ અર્થહીન બની જાય છે.”
તેમણે કહ્યું કે ન્યાયની રાહ ક્યારેય સમાપ્ત થતી નથી. આજે, આપણે અહીંથી જઈ રહ્યા છીએ, ફક્ત સત્યનો પડઘો અને અનુત્તરિત પ્રશ્નો છોડીને જે પ્રયાગરાજની હવામાં કાયમ માટે રહેશે. હવે અમે ફક્ત આ પીડાને શોષવા માટે અને શાંતિની થોડી ક્ષણોની જરૂર છે.
તેઓએ કહ્યુ કે “અમારા દુઃખને અનુભવનારા અને અત્યાર સુધી સાથ આપનાર તમામ માટે આભારની લાગણી વ્યક્ત કરું છું”

આમ,તેઓએ ભારે હૈયે મેળા માંથી સ્નાન કર્યા વગર જ પરત જવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં
  • August 13, 2026

Mumbai Goa Highway Delay: મુંબઈને ગોવા સાથે જોડતો નેશનલ હાઇવે-66 (NH-66) દેશના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક ગણાય છે, પરંતુ આ હાઇવેને ફોર લેન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયાને લગભગ 17 વર્ષ…

Continue reading
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો
  • August 13, 2026

Brij Bhushan Singh Verdict: ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે દાખલ થયેલા ચર્ચાસ્પદ જાતીય સતામણીના કેસમાં દિલ્હીની એક અદાલતે તેમને નિર્દોષ જાહેર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 3 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 4 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 5 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 6 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 6 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 6 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ