
Operation Sindoor : પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરુ કરવામા આવ્યું હતું. આતંકવાદીઓએ 26 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ગોળીને મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના કારણે સમગ્ર ભારતના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા અને 100 આતંકવાદીઓ અને 30-40 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, અને પાકિસ્તાનની વાયુસેનાના 20% ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હતું. જો કે, 86 કલાકની તીવ્ર કાર્યવાહી બાદ, 10 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યે અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાને સંઘર્ષ વિરામની જાહેરાત કરી. આ મામલે જેમને ભારતીય સેનામાં ફરજ બજાવી છે તેવા નિવૃત સૈનિકોની પણ પ્રતિક્રિયા સામે આવી છે આ મામલે નિવૃત્ત બ્રિગેડિયર પ્રદીપ યાદુએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાતચીત કરતા પોતાના મંતવ્યો આપ્યા હતા.
ઓપરેશન સિંદૂર સ્થગિત થવા મામલે નિવૃત્ત બ્રિગેડિયર પ્રદીપ યાદુએ શું કહ્યું ?
નિવૃત્ત બ્રિગેડિયર પ્રદીપ યાદુએ ભારતના ઓપરેશન સિંદૂર મુલતવી રાખવાના મુદ્દા પર જણાવ્યું હતુ કે, અમેરિકા સાથે વેપારના કારણે આ નિર્ણય લેવામા આવ્યો છે ટ્રમ્પ બિઝનસમેન છે. અનેક મોટા આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે જે ટ્રમ્પ પહેલા પાકિસ્તાનને ટેટર સ્ટેટ કહેતા હતા. પરંતુ આપણે કેમ પાકિસ્તાનને હજુ સુધી ટેરરિસ્ટ સ્ટેટ જાહેર નથી કર્યો? તેવા સવાલો ઉઠાવ્યા હતા અને પાકિસ્તાનને ટેરરિસ્ટ સ્ટેટ જાહેર કરવાની ભારતની સરકાર સામે માંગ કરી છે. આ સાથે ટ્રમ્પની ધમકીઓથી ડરીને ભારત પહેલા પીછે હટ કરી લે છે તેમ પણ જણાવ્યું હતુ. આમ ટ્રમ્પની ભરત વિરોધી નિતી વિશે પણ જણાવ્યું હતું. તેમજ અન્ય દેશો ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે તો ભારત કેમ નહીં તે અંગે પણ વાત કરી હતી. આ સાથે પ્રદીપ યાદુએ ભારતની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.
બ્રિગેડિયર પ્રદીપ યાદુનો યુદ્ધ અનુભવ
શ્રીલંકા (ઓપરેશન પવન)
સિયાચીન ગ્લેશિયર (ઓપરેશન મેઘદૂત)
જમ્મુ અને કાશ્મીર (ઓપરેશન રક્ષક)
ઉપર આસામ (ઉલ્ફા – ઓપરેશન રાઇનો)
કારગિલ (ઓપરેશન વિજય).
આ મહત્વના પદોની સંભાળી ચુક્યા છે જવાબદારી
બ્રિગેડિયર પ્રદીપ યાદુ વિશે વધુમાં વાત કરવામા આવે તો તેઓ ચીફ ઈન્સ્ટ્રક્ટર (કોમ્બેટ એન્જિનિયરિંગ), કમાન્ડિંગ ઓફિસર (એન્જિનિયર રેજિમેન્ટ),ચીફ ઇજનેર (કોર્પ્સ),એડિશનલ ચીફ ઇજનેર (કમાન્ડ) જેવા મહત્વના પદો પર રહી ચુક્યા છે.
બ્રિગેડિયર પ્રદીપ યાદુની સિદ્ધિઓ
બધા યુદ્ધોમાં બધા લક્ષ્યો સમય પહેલા પ્રાપ્ત થઈ ગયા હતા.
વધારાના લડાઇ મિશન માટે સ્વયંસેવા આપી
તેમના ત્રણ વર્ષના કમાન્ડ દરમિયાન રેજિમેન્ટને “યુનિટ સાઇટેશન” સહિત 42 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
ઓપરેશન સિદૂર પર બ્રિગેડિયર પ્રદીપ યાદુએ ઓપરેશન સિંદૂર સ્થગિત થવાને લઈને વધુમાં શું કહ્યું ? જુઓ વીડિયો
આ પણ વાંચોઃ
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે
Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
