Electricity Scam: બિહારમાં 62,000 કરોડનું વીજળી કૌભાંડ: ભાજપ નેતા આર.કે. સિંહનો ગંભીર આરોપ, CBI તપાસની માગ

  • India
  • November 4, 2025
  • 0 Comments

Bihar Electricity Scam Allegations: બિહાર વિધાનસભા ચૂંટણી ટાળે ભાજપને ફટકો પડે તેવા આરોપ તેમના જ નેતા દ્વારા આવતાં ખળબળાટ મચ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય વીજળી મંત્રી આર.કે. સિંહે પોતાની જ પાર્ટીની નેતૃત્વવાળી એનડીએ સરકાર પર મોટા કૌભાંડનો આરોપ મૂક્યો છે. તેમણે અદાણી જૂથ સાથેના વીજળી ખરીદી કરારને ‘ગોટાળો’ ગણાવીને કહ્યું કે આમાંથી બિહારને 62,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે કુલ ગોટાળાની રકમ 1.40 લાખ કરોડ સુધી પહોંચે છે. આર.કે. સિંહે CBI તપાસ અને જવાબદારો સામે ક્રિમિનલ કેસ નોંધવાની માગ કરી છે, જેનાથી મોદી સરકાર માટે મુશ્કેલી વધી ગઈ છે.

આર.કે. સિંહે એબીપી ન્યૂઝ ચેનલને આપેલા એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં આ આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું, “બિહાર સરકારે એદાની જૂથ સાથે 7.5 રૂપિયા પ્રતિ યુનિટના દરે 25 વર્ષ માટે વીજળી ખરીદીનો કરાર કર્યો છે, જે એક વિશાળ ગોટાળાનું પ્રતીક છે. આ કરારથી બિહારના વીજળી વિભાગને અનેક વર્ષો સુધી નુકસાન થશે.” આર.કે. સિંહના મતે, આ કરારમાં દર નક્કી કરવાની પ્રક્રિયામાં અસ્પષ્ટતા અને અનિયમિતતાઓ છે, જેનાથી રાજ્યને વધુ ખર્ચ થઈ રહ્યો છે.

કરારની વિગતો અને વિવાદ 

બિહાર સરકારે સપ્ટેમ્બર 2025માં અદાણી પાવર લિમિટેડ સાથે 2,400 મેગાવોટ વીજળી પુરવઠાનો 25 વર્ષીય પાવર સપ્લાય એગ્રીમેન્ટ (પીએસએ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ભાગલપુર જિલ્લામાં નવા ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટથી વીજળી પૂરી પાડવા માટે છે.

કરાર અનુસાર, અદાણીને 1,020 એકર જમીન 25 વર્ષ માટે માત્ર 1 રૂપિયા પ્રતિ એકરના દરે લીઝ પર આપવામાં આવી છે, જે વિરોધ પક્ષો દ્વારા ‘અનુચિત લાભ’ તરીકે ગણાવાય છે. આર.કે. સિંહે આ કરારને ‘અર્થવ્યવસ્થામાં લૂંટ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું, “આ કરારથી બિહારને 62,000 કરોડનું સીધું નુકસાન થશે, કારણ કે વીજળીના દર વધુ છે અને ખરીદીની પ્રક્રિયા પારદર્શક નથી. કુલ મળીને 1.40 લાખ કરોડનો ગોટાળો થયો છે.” તેમણે વધુમાં કહ્યું કે વીજળી વિભાગમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓ વચ્ચે મિલીભગતથી આ ગોટાળો થયો છે, જેની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને સોંપવી જોઈએ. “જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરી ક્રિમિનલ કેસ નોંધવા જોઈએ,”

ઉલ્લેખનીય છે કે આ આરોપ ત્યારે કરવામાં આવ્યા છે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે 6 નવેમ્બરે મતદાન થવાનું છે. જેના કારણે એનડીએની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલ બિહારને જીતવા એનડીએ (જેડીયુ-ભાજપ) અને મહાગઠબંધન (આરજેડી-કોંગ્રેસ) વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. આર.કે. સિંહના આરોપોથી ભાજપ અંદર જ અસ્વસ્થતા ફેલાઈ ગઈ છે, કારણ કે તેઓ પોતાના જ નેતાનાવક્તવ્યથી ખલબલાયા છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે પણ આ કરાર પર સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ભાગલપુર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને એડાનીને આપવાથી રાજ્યને 1 લાખ કરોડથી વધુનો નુકસાન થશે, જે ‘મોદીના મિત્રને લાભ’ આપવાનું કારણ બન્યું છે.

આર.કે. સિંહ, જેઓ પહેલાંથી જ બિહારમાં એનડીએ સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાત કરી રહ્યા છે, તાજેતરમાં પ્રશાંત કિશોરના આરોપો પર પણ ભાજપ નેતાઓની ચૂપ્પી પર તીખી ટીકા કરી હતી.

તેમના આ નવા આરોપોથી મોદી સરકાર માટે ચૂંટણીમાં વધુ મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે વિરોધ પક્ષો આને ‘ભ્રષ્ટાચારનું પુરાવો’ તરીકે ઉપયોગ કરી શકે છે. મહાગઠબંધન નેતા તેજસ્વી યાદવે પણ તાજેતરમાં એનડીએ પર ‘ભ્રષ્ટાચાર અને બેરોજગારી’ના આરોપો લગાવ્યા હતા.

બિહારના વીજળી વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપો નવા નથી. અગાઉ પણ અનેક કેસોમાં અનિયમિતતાઓની બાબત સામે આવી છે, જેમ કે જમીન વિતરણ અને કરારોમાં ગેરરીતિઓ. આ કરારને લઈને વિપક્ષોનો દાવો છે કે અદાણી જૂથને અનુચિત લાભ આપવાથી રાજ્યના સામાન્ય લોકોને મોંઘી વીજળી મળશે, જે આર્થિક બોજ વધારશે.

આર.કે. સિંહના આરોપોથી બિહારની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જો સીબીઆઈ તપાસ થાય તો આ કેસ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તણાવ વધારી શકે છે. ચૂંટણીમાં આ મુદ્દો કેટલો અસર કરશે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો:

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Bihar: બિહારમાં મર્ડર-બળાત્કાર સહિતના ગંભીર ગૂનામાં સામેલ 354 આરોપી ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ!!”મેરા ભારત મહાન!”

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

દારુ સપ્લાઈ કરતી બોટ ઝડપાઈઃ દમણથી દારૂ ભરી ચોરવાડ ડિલિવરી કરે તે પહેલા જ પકડી

દેશમાં થતાં અકસ્માતો માટે હવે નેતાઓ નહીં રોડ કોન્ટ્રાક્ટરો સીધા જવાબદાર ગણાશે!, લાખ્ખોનો દંડ ભરાવશે | Accident

Related Posts

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ
  • August 15, 2026

Hisar Farmer Protest: હરિયાણાના હિસારમાં સ્વાતંત્ર્ય દિવસની સવાર તણાવપૂર્ણ રહી હતી. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના ધ્વજારોહણ કાર્યક્રમનો વિરોધ કરવા એકત્ર થયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટનામાં અનેક…

Continue reading
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ
  • August 15, 2026

Green India Mission: ભારત સરકારના મહત્વાકાંક્ષી ગ્રીન ઇન્ડિયા મિશનના અમલીકરણ અંગે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના ઓડિટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. ગુરુવાર, 13 ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવેલી CAGની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

  • August 15, 2026
  • 3 views
Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

  • August 15, 2026
  • 3 views
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

  • August 15, 2026
  • 5 views
UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

  • August 15, 2026
  • 7 views
Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 6 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 10 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ