Vadodara: કરોડોના જમીન કૌભાંડકારી દેત્રોજા પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો, 100 દિવસથી અટક ન થયો, હવે રડારથી ગાયબ!

  • Gujarat
  • November 15, 2025
  • 0 Comments

Vadodara: ગુજરાત જમીન વિકાસ નિગમ (GLDC)ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર કનૈયાલાલ દેત્રોજા, જે 2018માં હજારો કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી બન્યા હતા, તેમના વિરુદ્ધ નવો કેસ નોંધાયો છે. મોરબીના ખેડૂતની 100 કરોડની જમીન પચાવવાના ષડયંત્રમાં તેમને 14 નવેમ્બરે વડોદરાની ગોરવા પોલીસે ધરપકડ કરી, પરંતુ માત્ર કેટલાક કલાકોમાં જ તે પોલીસ જપ્તા દરમિયાન રાત્રે ભાગી ગયા. આ ઘટનાએ પોલીસ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કોઈ આરોપીને આટલી સરળતાથી કસ્ટડીમાંથી કેવી રીતે ભાગી શકે ? કે પછી ઉપરથી સુરક્ષા મળી રહી છે?

શું છે સમગ્ર મામલો

2018માં ACB દેત્રોજા અને 21 અન્ય અધિકારીઓની કચેરીમાં દરોડા પાડી, 56 લાખથી વધુ બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. ખેત તળાવડીઓ અને પાણીના ટાંકાઓના બોગસ બિલો રજૂ કરી કરોડો ખંખેરવાના આ કેસમાં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ FIR નોંધાઈ. ED પણ PMLA હેઠળ કેસ દાખલ કર્યો, જેમાં તેમના સગા-સંબંધીઓ પાસે 70 હેક્ટર જમીન અને 2.52 કરોડની બેનામી મિલકતો મળી. તેમણે ગેરરીતિથી PhD ડિગ્રી પણ મેળવી હતી. પરંતુ આજ સુધી કોઈ ચાર્જશીટ નથી બનેલી

તપાસમાં વિલંબ કેમ?

આ વચ્ચે, મોરબીના ખેડૂત પ્રદીપસિંહ જાડેજાની 100 કરોડની જમીન પચાવી પાડવા ષડયંત્ર રચ્યું હતુ,દેત્રોજાએ સગા-સંબંધીઓ સાથે ષડયંત્ર રચી કબજો કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદીએ પોલીસમાં નોંધવાની વિનંતી કરી પરંતુ પોલીસે ઇનકાર કર્યો. કોર્ટે આદેશ આપી FIR નોંધાવવા ફરમાન કર્યું , પણ 100 દિવસથી પોલીસ તેની એટકાયત કરી ન હતી. ત્યારે સવાલ તે થાય છે કે, આ વિલંબ પાછળ પોલીસની ઉદાસીનતા કે કોઈ દબાણ? ભ્રષ્ટાચારીઓને કેમ સુરક્ષા આપવામાં આવે છે?

પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ 14 નવેમ્બરે બપોરે 12:35 વાગ્યે વડોદરાના સુગર પીસ હોટલ, વિશ્વામોરી કોમ્પ્લેક્સ, ઇલોરા પાર્ક અને ગંગાજમના હોસ્પિટલ પાસેથી ગોરવા પોલીસે દેત્રોજા અને તેમના દીકરા વિશ્વાસ દેત્રોજા (આરોપી નં. 2)ને ધરપકડ કરી. તેમને મોરબી પોલીસ સાંજે કસ્ટડીમાં લેવા આવી, પરંતુ રાત્રે પોલીસ જાપ્તા માંથી ભાગી ગયેલ એવા સમાચાર છે.

કસ્ટડીમાં સુરક્ષા કેમ નબળી?

પોલીસ કહે છે કે તેઓ ભાગ્યા, પણ CCTV ફૂટેજ કેમ નથી? કસ્ટડીમાં સુરક્ષા કેમ નબળી? આ ઘટના પોલીસની કાર્યક્ષમતા પર કલંક છે . શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વિના આવું બને? હવે વધુ તપાસમાં શું ખુલ્લું પડે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 6 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 10 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા