
Supreme Court: NCERTના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર” સંબંધિત પ્રકરણને લઈને સર્જાયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને ન્યાયતંત્રને બદનામ કરનારા આ કન્ટેન્ટની તપાસના આદેશ આપ્યા છે,આ મામલે NCERTએ માફી માંગી છે અને વિવાદાસ્પદ બુકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
■ શુ છે સમગ્ર મામલો અને તેના મુખ્ય મુદ્દા શુ છે ? જાણો
NCERT દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેની ટિપ્પણી કરવામાં આવી છે જે ઉભરતા બાળકોના કુમળા માનસ ઉપર વિપરીત અસર કરી શકે તે મુદ્દો ઉઠવાયો છે.
■ NCERT સામે સુપ્રીમ કોર્ટની નારાજગી
NCERT દ્વારા કોર્ટમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે પાઠય પુસ્તકમાં ઉલ્લેખ થતાં સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે આ બાબતનું સ્વતઃ સંજ્ઞાન લીધું અને કહ્યું કે ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી કોઈને ન આપી શકાય,સુપ્રીમ કોર્ટ દ્વારા NCERTને નોટિશ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
■ NCERTએ માફી માંગી
આ મુદ્દે ભારે વિવાદ અને દબાણ ઉભું થયા બાદ NCERTએ માફી માંગી છે અને ન્યાયતંત્ર પ્રત્યે પોતાનો સંપૂર્ણ આદર વ્યક્ત કર્યો છે.
■વિવાદ ઉભો થયા બાદ સરકારની પ્રતિક્રિયા શુ આવી તે જાણો
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર દિલગીરી વ્યક્ત કરીને ખુલાસો કર્યો કે સરકારનો ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો, જોકે સમગ્ર દેશમાં આ મામલે ભારે વિવાદ થયો છે ત્યારે આ મુદ્દા ઉપર ડૉ. જયનારાયણ વ્યાસે શુ કહ્યું તે જાણો.
પ્રસ્તુત છે વિડીયો.







