Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

Arvind Kejriwal: દેશમાં આજે બનેલા સૌથી મોટા ઘટનાક્રમમાં દિલ્હીની રાઉંઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા હતા,દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની બહાર નિવેદન આપતી વખતે અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. મનીષ સિસોદિયાએ તેમને સાંત્વના આપી તેઓએ કહ્યું મને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો કારણ કે ઈમાનદારીથી કામ કર્યું છે અને આખરે ન્યાય મળ્યો છે,આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રાજકીય ક્ષેત્રે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે જણાવ્યું હતું કે પુરાવા વગર બંને સામેના આરોપો સાબિત થઈ શકતા નથી. સીબીઆઈએ આ કેસમાં કુલ 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે તેમાંથી કોઈપણ સામે આરોપો ઘડવાનો ઇનકાર કર્યો હતો, અને બધાને નિર્દોષ છોડી મૂક્યા હતા, કેજરીવાલે કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા કરતા તેઓ રડવા લાગ્યા હતા તેમણે કહ્યું કે

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ દારૂ કૌભાંડ.. દારૂ કૌભાંડ.. કરી રહ્યો છે અને અમારા પર આરોપો લગાવવામાં આવે છે. આજે કોર્ટે બધા આરોપો ફગાવી દીધા અને અમને બધાને મુક્ત કર્યા. અમે હંમેશા કહ્યું કે અમને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું ન્યાયાધીશનો ખૂબ આભારી છું જેમણે અમને ન્યાય આપ્યો. સત્યનો વિજય થયો છે. ભગવાન અમારી સાથે છે. મોદી અને અમિત શાહે સાથે મળીને સ્વતંત્ર ભારતમાં સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યુ તેનું સત્ય આખરે બધાની સામે આવ્યું છે.

આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે તેઓએ કહ્યું કે જો કેજરીવાલ નિર્દોષ છે તો આ ‘ગોટાળો’ કોણે કર્યો ! આ અંગેનું વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Heat Wave Crisis: વિશ્વના ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૨૬ ભારતમાં, છતાં મોદી સરકાર માટે આ ‘રાષ્ટ્રીય આપત્તિ’ નથી!

  • May 29, 2026
  • 4 views
India Heat Wave Crisis: વિશ્વના ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૨૬ ભારતમાં, છતાં મોદી સરકાર માટે આ ‘રાષ્ટ્રીય આપત્તિ’ નથી!

CBSE OSM Marking Controversy: તેલંગાણામાં ૨૫ બાળકોનો બલી લેનારી બ્લેકલિસ્ટ કંપનીને સીબીએસઈ ના પેપર ચેક કરવાનો કોન્ટ્રાક્ટ આપનારી સરકાર કોની સગી છે?

  • May 29, 2026
  • 6 views
CBSE OSM Marking Controversy: તેલંગાણામાં ૨૫ બાળકોનો બલી લેનારી બ્લેકલિસ્ટ કંપનીને સીબીએસઈ ના પેપર ચેક કરવાનો કોન્ટ્રાક્ટ આપનારી સરકાર કોની સગી છે?

Ken Betwa Project: જંગલો સાફ અને ૨૪ ગામડાઓ ડૂબાડીને પીએમ મોદીનો ‘કેન-બેટવા’ ડ્રીમ પ્રોજેક્ટ!

  • May 29, 2026
  • 5 views
Ken Betwa Project: જંગલો સાફ અને ૨૪ ગામડાઓ ડૂબાડીને પીએમ મોદીનો ‘કેન-બેટવા’ ડ્રીમ પ્રોજેક્ટ!

Gujarat Farmers Rally 15 June: બાબુઓ અને કંપનીઓની મિલીભગત સામે ખેડૂતોનો બળવો! ૧૫મી જૂને હજારો ટ્રેક્ટરો સાથે અન્નદાતા ગાંધીનગર બંધ કરશે

  • May 29, 2026
  • 12 views
Gujarat Farmers Rally 15 June: બાબુઓ અને કંપનીઓની મિલીભગત સામે ખેડૂતોનો બળવો! ૧૫મી જૂને હજારો ટ્રેક્ટરો સાથે અન્નદાતા ગાંધીનગર બંધ કરશે

Supreme Court Judgment Deadline: ન્યાયાધીશોની ‘તારીખ પે તારીખ’ હવે બંધ! ૩ મહિનામાં ચુકાદો નહીં આપો તો કેસ છીનવાઈ જશે

  • May 29, 2026
  • 4 views
Supreme Court Judgment Deadline: ન્યાયાધીશોની ‘તારીખ પે તારીખ’ હવે બંધ! ૩ મહિનામાં ચુકાદો નહીં આપો તો કેસ છીનવાઈ જશે

TMC MP Saugata Roy: સત્તા જતા જ ફાટી પડ્યો જનતાનો આક્રોશ! ટીએમસી સાંસદ સૌગત રોયને જોતા જ લાગ્યા ‘ચોર’ ના નારા, ગાડી પર ફેંકાયા ઈંડા

  • May 29, 2026
  • 6 views
TMC MP Saugata Roy: સત્તા જતા જ ફાટી પડ્યો જનતાનો આક્રોશ! ટીએમસી સાંસદ સૌગત રોયને જોતા જ લાગ્યા ‘ચોર’ ના નારા, ગાડી પર ફેંકાયા ઈંડા