
RSS: RSS વડા મોહન ભાગવતે કથિત રીતે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. આ કથિત પત્રમાં આસામના મુખ્યમંત્રી અને તેમની પત્ની રિંકી ભૂયાન શર્મા સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભાગવતે વડા પ્રધાનને પૂછ્યું હતું કે શું ગૃહમંત્રી અમિત શાહ શર્માને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?જોકે આ પત્રની The Gujarat Report પૃષ્ટિ કરતું નથી અને તે અસલી છે કે નકલી છે તે વાત કરતા આ પત્રએ દેશભરમાં હોબાળો જગાવ્યો છે.
જોકે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતો પત્ર ખોટો છે અને વિપક્ષી પક્ષો દ્વારા ભ્રમ ફેલાવવા માટે તેને શેર કરવામાં આવી રહ્યો છે બીજું કે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, તેમને માફિયા નેતા અતિક અહેમદ જેવા જ હાલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ જ્યોતિર્મથના સત્તાવાર મોબાઇલ નંબર પર ધમકીના મેસેજ મળ્યા હતા. જ્યારે તે નંબર બ્લોક કરવામાં આવ્યો તો ફરી તા. ૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વોઇસમેઇલ દ્વારા બે ઓડિયો સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા, જેમાં અતિક અહેમદની જેમ હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી.
આમ,સનાતનીને ધમકીઓ મળી રહી છે અને અગાઉ પણ એક સનાતની બીજા સનાતની વચ્ચેનો ગ્રજગ્રાહ દેશમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે,આ બન્ને મુદ્દાઓ ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ કરેલું વિસ્તુત વિશ્લેષણ જોવા જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







