
Farmer: ગુજરાતમાં હાલ હાઈટેન્શન લાઈન અને પવનચક્કીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ વિરોધ ચાલુ છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પવન ચક્કી મામલે નાગરિકો હેરાન થઈ રહયા ની ફરિયાદ ઉઠવા પામી છે.
એક કિસ્સામાં તો એક નાગરીકનું ઘર તોડી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને દિલીપભાઈ સરવૈયા નામના નાગરિકનું ઘર તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,The gujarat report ના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ નાગરીક સાથે વાતચીત કરી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા અને ડાયરાના જાણીતા કલાકારના પુત્રો દ્વારા પરેશાન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તેઓએ તંત્ર અને કંપનીની મિલીભગતમાં લોકોને હેરાન કરવામાં આવી રહયના ગંભીર આરોપ લગાવ્યા હતા.
બીજી તરફ ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઉભી થઈ. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સાથે એવા બનાવ બને છે કે જાણે દાદાગીરી કરવા માટે ખેડૂતો જ સોફ્ટ ટાર્ગેટ હોય,વીજકંપનીઓ દ્વારા ખેડૂતો સાથે વિવાદના અનેક કિસ્સા સામે આવી રહયા છે. આવ્યા જેમાં ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે મંજૂરી વગર જ તેમના ખેતરમાં આડેધડ કામકાજ શરૂ કરી દેવામાં આવે છે અને હેરાન કરવામાં આવી રહયા છે ત્યારે હવે પવન ચક્કી માટે દિલીપભાઈ સરવૈયાનું ઘર તોડી પાડવાનો બનાવ ચર્ચાસ્પદ બન્યો છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા



