Electricity Scam: બિહારમાં 62,000 કરોડનું વીજળી કૌભાંડ: ભાજપ નેતા આર.કે. સિંહનો ગંભીર આરોપ, CBI તપાસની માગ

  • India
  • November 4, 2025
  • 0 Comments

Bihar Electricity Scam Allegations: બિહાર વિધાનસભા ચૂંટણી ટાળે ભાજપને ફટકો પડે તેવા આરોપ તેમના જ નેતા દ્વારા આવતાં ખળબળાટ મચ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય વીજળી મંત્રી આર.કે. સિંહે પોતાની જ પાર્ટીની નેતૃત્વવાળી એનડીએ સરકાર પર મોટા કૌભાંડનો આરોપ મૂક્યો છે. તેમણે અદાણી જૂથ સાથેના વીજળી ખરીદી કરારને ‘ગોટાળો’ ગણાવીને કહ્યું કે આમાંથી બિહારને 62,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે કુલ ગોટાળાની રકમ 1.40 લાખ કરોડ સુધી પહોંચે છે. આર.કે. સિંહે CBI તપાસ અને જવાબદારો સામે ક્રિમિનલ કેસ નોંધવાની માગ કરી છે, જેનાથી મોદી સરકાર માટે મુશ્કેલી વધી ગઈ છે.

આર.કે. સિંહે એબીપી ન્યૂઝ ચેનલને આપેલા એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં આ આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું, “બિહાર સરકારે એદાની જૂથ સાથે 7.5 રૂપિયા પ્રતિ યુનિટના દરે 25 વર્ષ માટે વીજળી ખરીદીનો કરાર કર્યો છે, જે એક વિશાળ ગોટાળાનું પ્રતીક છે. આ કરારથી બિહારના વીજળી વિભાગને અનેક વર્ષો સુધી નુકસાન થશે.” આર.કે. સિંહના મતે, આ કરારમાં દર નક્કી કરવાની પ્રક્રિયામાં અસ્પષ્ટતા અને અનિયમિતતાઓ છે, જેનાથી રાજ્યને વધુ ખર્ચ થઈ રહ્યો છે.

કરારની વિગતો અને વિવાદ 

બિહાર સરકારે સપ્ટેમ્બર 2025માં અદાણી પાવર લિમિટેડ સાથે 2,400 મેગાવોટ વીજળી પુરવઠાનો 25 વર્ષીય પાવર સપ્લાય એગ્રીમેન્ટ (પીએસએ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ભાગલપુર જિલ્લામાં નવા ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટથી વીજળી પૂરી પાડવા માટે છે.

કરાર અનુસાર, અદાણીને 1,020 એકર જમીન 25 વર્ષ માટે માત્ર 1 રૂપિયા પ્રતિ એકરના દરે લીઝ પર આપવામાં આવી છે, જે વિરોધ પક્ષો દ્વારા ‘અનુચિત લાભ’ તરીકે ગણાવાય છે. આર.કે. સિંહે આ કરારને ‘અર્થવ્યવસ્થામાં લૂંટ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું, “આ કરારથી બિહારને 62,000 કરોડનું સીધું નુકસાન થશે, કારણ કે વીજળીના દર વધુ છે અને ખરીદીની પ્રક્રિયા પારદર્શક નથી. કુલ મળીને 1.40 લાખ કરોડનો ગોટાળો થયો છે.” તેમણે વધુમાં કહ્યું કે વીજળી વિભાગમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓ વચ્ચે મિલીભગતથી આ ગોટાળો થયો છે, જેની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને સોંપવી જોઈએ. “જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરી ક્રિમિનલ કેસ નોંધવા જોઈએ,”

ઉલ્લેખનીય છે કે આ આરોપ ત્યારે કરવામાં આવ્યા છે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે 6 નવેમ્બરે મતદાન થવાનું છે. જેના કારણે એનડીએની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલ બિહારને જીતવા એનડીએ (જેડીયુ-ભાજપ) અને મહાગઠબંધન (આરજેડી-કોંગ્રેસ) વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. આર.કે. સિંહના આરોપોથી ભાજપ અંદર જ અસ્વસ્થતા ફેલાઈ ગઈ છે, કારણ કે તેઓ પોતાના જ નેતાનાવક્તવ્યથી ખલબલાયા છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે પણ આ કરાર પર સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ભાગલપુર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને એડાનીને આપવાથી રાજ્યને 1 લાખ કરોડથી વધુનો નુકસાન થશે, જે ‘મોદીના મિત્રને લાભ’ આપવાનું કારણ બન્યું છે.

આર.કે. સિંહ, જેઓ પહેલાંથી જ બિહારમાં એનડીએ સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાત કરી રહ્યા છે, તાજેતરમાં પ્રશાંત કિશોરના આરોપો પર પણ ભાજપ નેતાઓની ચૂપ્પી પર તીખી ટીકા કરી હતી.

તેમના આ નવા આરોપોથી મોદી સરકાર માટે ચૂંટણીમાં વધુ મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે વિરોધ પક્ષો આને ‘ભ્રષ્ટાચારનું પુરાવો’ તરીકે ઉપયોગ કરી શકે છે. મહાગઠબંધન નેતા તેજસ્વી યાદવે પણ તાજેતરમાં એનડીએ પર ‘ભ્રષ્ટાચાર અને બેરોજગારી’ના આરોપો લગાવ્યા હતા.

બિહારના વીજળી વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપો નવા નથી. અગાઉ પણ અનેક કેસોમાં અનિયમિતતાઓની બાબત સામે આવી છે, જેમ કે જમીન વિતરણ અને કરારોમાં ગેરરીતિઓ. આ કરારને લઈને વિપક્ષોનો દાવો છે કે અદાણી જૂથને અનુચિત લાભ આપવાથી રાજ્યના સામાન્ય લોકોને મોંઘી વીજળી મળશે, જે આર્થિક બોજ વધારશે.

આર.કે. સિંહના આરોપોથી બિહારની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જો સીબીઆઈ તપાસ થાય તો આ કેસ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તણાવ વધારી શકે છે. ચૂંટણીમાં આ મુદ્દો કેટલો અસર કરશે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો:

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Bihar: બિહારમાં મર્ડર-બળાત્કાર સહિતના ગંભીર ગૂનામાં સામેલ 354 આરોપી ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ!!”મેરા ભારત મહાન!”

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

દારુ સપ્લાઈ કરતી બોટ ઝડપાઈઃ દમણથી દારૂ ભરી ચોરવાડ ડિલિવરી કરે તે પહેલા જ પકડી

દેશમાં થતાં અકસ્માતો માટે હવે નેતાઓ નહીં રોડ કોન્ટ્રાક્ટરો સીધા જવાબદાર ગણાશે!, લાખ્ખોનો દંડ ભરાવશે | Accident

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?