
Rajkot: રાજકોટમાં ગયા વર્ષે 25 મે, 2024ના રોજ TRP ગેમિંગ ઝોનમાં થયેલા ભયંકર અગ્નિકાંડ સર્જાયો હતો. આ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો હોમાય ગયા હતા. આ ઘટનાને અગ્નિકાંડની ચકચારી ઘટનાને એક વર્ષ પુરુ થવા આવ્યું છે. છતા પણ હજુ સુધી પીડિતોને ન્યાય મળ્યો નથી ત્યારે અગ્નિકાંડની ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા કોંગ્રેસ પાર્ટીએ પીડિતોને ન્યાય અપાવવા માટે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જોકે, આ વિરોધ શરૂ થાય તે પહેલાં જ રાજકોટ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ
મળતી માહિતી મુજબ આજે સવારે કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી મનપા કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. જો કે આ રેલી શરૂ થતાં પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જે બાદ મનપા કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
એક વર્ષ પુરુ થવા આવ્યું છતા ન્યાય નહીં ?
ગયા વર્ષે રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકો, જેમાં બાળકોનો પણ સમાવેશ હતોઆ ઘટનાએ રાજ્યભરમાં આક્રોશ ફેલાવ્યો હતો, અને પીડિતોના પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસે આ મામલે સરકારની નિષ્ક્રિયતા અને નબળા સુરક્ષા ધોરણોની ટીકા કરી છે, જેના કારણે આ દુર્ઘટના બની હોવાનો આરોપ છે.ગુજરાત હાઈકોર્ટે પણ આ ઘટનાને લઈને રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા, પરંતુ તપાસની ગતિ અને જવાબદારો સામે કાર્યવાહી હજુ અધૂરી લાગે છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, “આ વિરોધ રાજકીય નથી, પરંતુ ગરીબ અને પીડિતોના ન્યાય માટેનો અવાજ છે.”
કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
આ મામલે કોંગ્રેસે જાહેરાત કરી છે કે આગામી 6 દિવસ સુધી રાજકોટમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો દ્વારા પીડિતો માટે ન્યાયની માગણી ચાલુ રહેશે.
20 મેના આજે કમિશનરના ઘેરાવ સાથે શહેરમાં પત્રિકા વિતરણ કરાશે
21મેને બુધવારે પો.કમિ.ને રજૂઆત અને ન્યાય સંકલ્પ રથ ફેરવાશે
22મેને ગુરુવારે સવારે 11 વાગ્યે વોર્ડ પ્રભારીઓ દ્વારા વિસ્તારોમાં રિક્ષામાં સ્ટીકર લગાવાશે
23મેના પણ પત્રિકા વિતરણ સહિત કાર્યક્રમો થશે
24મેના અગ્નિકાંડમાં સરકારની ભૂમિકા અંગે વિગતો જાહેર કરાશે
25મેના સાંજે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચ યોજાશે.
શું પીડિતોને ન્યાય મળશે કે નહીં ?
નોંધનીયછે કે, આ અગ્નિકાંડ બાદ TRP ગેમઝોનને લાયસન્સ આપનાર પોલીસ કમિશનર સહિત અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. તેમજ ગેમઝોન ગેરકાયદે હોવા છતાં તેનું ડીમોલીશન નહીં કરનાર ટી.પી.ઓ. તેમજ ફાયર સેફ્ટીની કાર્યવાહી મુદ્દે ચીફ ફાયર ઓફિસર સહિત માત્ર મ્યુનિ.અધિકારીઓની ધરપકડ કરાઈ હતી અને મ્યુનિ.કમિશનરની બદલી કરાઈ હતી. જો કે, પદાધિકારીઓ-અધિકારીઓ વિરુદ્ધ કોઈ એકશન લેવામાં આવ્યું ન હતું. તેમજ આ મામલે કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કરી નિર્લિપ્ત રાય જેવા અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી હતી પરંતું તે માંગ સ્વીકારાઈ ન હતી. ત્યારે આ અગ્નિકાડના પીડિતોને ન્યાય માટે હજુ કેટલી રાહ જોવી પડશે ? શું તેમને ન્યાય મળશે કે નહીં ? તેવા સવાલ પણ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ
Operation Sindoor પર રાજકારણ, મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !
BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?
Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?
Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી
Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ
Dahod Mgnrega Scam: આખરે ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો ! મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસના સકંજામાં
Pakistan Target on Golden Temple: સેનાએ સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને કેવી રીતે બચાવ્યા?
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત
શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!