Donald Trump: ટ્રમ્પની દાદાગીરી, WHOને 26 કરોડ ડોલર ચૂકવ્યા વગર સભ્યપદ છોડ્યું!

  • World
  • January 23, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાએ સત્તાવાર રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું સભ્યપદ છોડી દીધું છે સાથેજ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ભવિષ્યમાં નિરીક્ષક તરીકે પણ આ સંગઠન સાથે જોડાવાની કોઈ યોજના ધરાવતું નથી.

WHO સાથે છેડો ફાડવાના કારણમાં કોવિડ-19 મહામારીના સંચાલનમાં સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીની નિષ્ફળતાઓને અમેરિકાએ જવાબદાર ઠેરવી છે અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે હવે જાહેર આરોગ્ય પ્રાથમિકતાઓ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનોને બદલે અન્ય દેશો સાથે સીધો સહયોગ અને મદદ કરશે.

ટ્રમ્પે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને WHOને આપવામાં આવતું તમામ ફંડિંગ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે અમેરિકા માને છે કે આ સંગઠનને કારણે દેશને અબજો ડોલરનું નુકસાન થયું છે બીજી તરફ WHOના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમેરિકાએ વર્ષ 2024 અને 2025 સુધી સંગઠનને ફી પેટે ચૂકવવાના થતા 26 કરોડ ડોલર હજુ ચૂકવ્યા નથી.

જોકે,અમેરિકી વિદેશ વિભાગના સૂત્રોએ WHOના આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું હતું કે સંગઠન છોડવા માટે ચૂકવણી કરવી ફરજિયાત હોવાનો કાયદામાં કોઈ ઉલ્લેખ નથી આમેય, અમેરિકાએ ઘણું આપ્યું છે.WHOના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ફેબ્રુઆરીમાં યોજાનાર કાર્યકારી બોર્ડની બેઠકમાં સભ્ય દેશો અમેરિકાના બહાર નીકળવા અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આમ,અમેરિકાએ WHO સાથે છેડો ફાડી નાખ્યો છે અને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મહામારી આવશે તો કોઈ સંગઠન મારફતે નહિ પણ સીધો સહયોગ કરવાની વાત કરી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
  • May 10, 2026

Indus Waters Treaty: પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષો જૂની સિંધુ જળ સંધિ (IWT) ને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું છે…

Continue reading
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
  • May 10, 2026

Vijay Tamil Nadu CM: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 5 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 9 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 5 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 13 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 12 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ