
Dahod Mgnrega Scam: ગુજરાતના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રો, બળવંત અને કિરણ ખાબડ મનરેગા યોજનામાં કરોડોના કથિત કૌભાંડના આરોપમાં ઝડપાયા છે. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના કામો મંત્રીના પુત્રોની એજન્સીઓ શ્રી રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ એજન્સીઓએ ચેકડેમ, હેન્ડપંપ, અને રસ્તાઓ બનાવ્યા વિના જ બિલો પાસ કરાવી લાખો-કરોડોની ઉચાપત કરી હોવાના આરોપ છે. આ બે એજન્સીઓ મંત્રીના બંને પુત્રોના નામે હતી. આ મામલો સામે આવતા વિપક્ષ સતત સવાલો કરી રહ્યું છે આમા મંત્રી સામે પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આટલું મોટું કૌભાંડ સામે આવ્યું હોવા છતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાની નાની વાતે ટ્વિટ કરીને ભાજપ સરકારના ગુનગાન ગાતા હર્ષ સંઘવીએ આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી તેમજ ભાજપના કોઈ નેતા પણ આ મામલે કંઈ બોલ્યા નથી. ત્યારે આવું જ કોઈ કૌભાંડ કોઈ વિપક્ષ નેતાનું સામે આવ્યુ હોત તો કદાચ ભાજપાના કોઈ નેતાએ પ્રતિક્રિયા આપવાનું બાકી ના રાખ્યું હોત ત્યારે પોતાની જ સરકારના મંત્રીનું કૌભાંડમાં નામ સામે આવ્યું છે ત્યારે કેમ ભાજપ નેતાઓના મોઢા સિવાય ગયા છે તેવા સવાલ ઉઠી રહ્યા છે.
બચુ ખાબડના પુત્રોના કૌભાંડ પર ભાજપ નેતાઓ કેમ ચૂપ?
ભાજપના નેતાઓ વિપક્ષની નાની નાની વાતે ટીકા કરતા હોય છે તેમના રોષ વ્યક્ત કરતા હોય છે તેમજ નેતાઓ વિરોધ કરવા માટે રસ્તા પર પણ ઉતરી જતા હોય છે ત્યારે સરકારના મંત્રીના પુત્રોની આવી ગેરરીતિઓ પર શું ભાજપ નેતાઓને ગુસ્સો નથી આવતો? ભાજપનો સિલેક્ટિવ ગુસ્સો કેમ છે? આ ચુપ્પી તે દર્શાવે છે કે, ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચારીઓને રાજકીય આશ્રય મળી રહ્યું છે.
નાની નાની વાતે ટ્વિટ કરતા હર્ષ સંઘવી કેમ ચુપ ?
ગૃહમંત્રી હર્ષ સંઘવી, જે ગૃહમંત્રી તરીકે રાજ્યની કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અને વિપક્ષ પર નાની નાની વાતે પ્રહારો કરતા હોય છે સરકારની વાહવાહી કરતી પણ ટ્વિટ કરતા હોય છે ત્યારે તેમની જ ભાજપા સરકારના મંત્રીના પુત્રો આટલું મોટુ કૌભાંડ કરે છે વિપક્ષ સતત સવાલો કરી રહ્યું છે તેમ છતા તેમનું આ મામલે એક પણ શબ્દ ન બોલવુંએ અનેક સવાલો ઉભા કરે છે.
મુખ્યમંત્રીને કરાઈ હતી લેખિત ફરિયાદ
એ જ રીતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જેમને આ મુદ્દે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતા તેમનું મૌન દર્શાવે છે કે રાજ્યનું નેતૃત્વ કાં તો નિર્ણય લેવામાં અસમર્થ છે, કાં તો પોતાના જ નેતાઓને બચાવવાની રમત રમી રહ્યા છે.
સરકાર મંત્રી પુત્રોના કૌભાંડ બાબતે સ્પષ્ટતા કરે..
જે મનરેગા યોજના ગરીબોના માટે બની હતી, તે હવે મંત્રીના ઘરનો ખજાનો ભરવાનું સાધન બની ગઈ છે. તે જોતાં લાગે છે કે ગુજરાતમાં ‘વિકાસ’નો નારો ફક્ત ચૂંટણી જીતવા માટે જ છે. શું હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ આ કૌભાંડની તપાસને દબાવવા માંગે છે? કે પછી તેમનું મૌન એ રાજકીય વફાદારીનું પરિણામ છે? જો મંત્રીના પુત્રો આટલું મોટું કૌભાંડ કરી શકે, તો બીજા કેટલા ‘વિકાસના ખજાના’ખાલી કરી ગયા હશે? જ્યારે ગરીબોને રોજગારી આપવાની યોજના લૂંટનું સાધન બની જાય, ત્યારે સરકારની નીતિ અને નિયત પર સવાલ ઉભા થાય છે. ગુજરાતનું ‘મોડેલ’હવે ફક્ત ભ્રષ્ટાચારનું પર્યાય બની ગયું છે. જો સરકાર ખરેખર પારદર્શી છે, તો હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે જનતા સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ.
આ પણ વાંચોઃ
Operation Sindoor પર રાજકારણ, મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !
BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?
Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?
Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી
Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ
Dahod Mgnrega Scam: આખરે ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો ! મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસના સકંજામાં
Pakistan Target on Golden Temple: સેનાએ સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને કેવી રીતે બચાવ્યા?
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત
શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!