
Banaskantha:અંબાજી દર્શન માટે જતી એક કારને દાંતા નજીક આજે સવારે ગંભીર અકસ્માત નડ્યો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
બનાસકાંઠાના અંબાજીથી દાંતા તરફ જતાં હાઈવે પર અકસ્માત
મળતી માહિતી મુજબ દાંતા તરફથી અંબાજી દર્શનાર્થે જતી કારનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમા પાન્છા પેટ્રોલ પંપ નજીક કાર પલટી મારીને ખેતરમાં દૂર દૂર સુધી પલટી ખાતા ઘૂસી ગઇ હતી. આ અકસ્માત સમયે કારમાં 4 જેટલા લોકો સવાર હતા. ત્યારે આ અકસ્માતમાં તમામ લોકોને ઈજા પહોંચતા તેમને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામા આવ્યા છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો ?
ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ બનાસકાંઠાના અંબાજીથી દાંતા તરફ જતાં હાઈવે પર પાનસા પેટ્રોલ પંપ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે ઓવર ટેક કર્યો હતો, તે દરમિયાન આ કાર ચાલકે પોતાની કારના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર હાઈવેથી 50 ફૂટ દૂર ખેતરમાં ત્રણ વખત પલટી ખાઈને ઊંધી વળી ગઈ હતી.
પાટણનો પરિવાર અંબાજી દર્શન કરવા જતો હતો
આ અકસ્માતમાં કારમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં તમામને ઈજાઓ પહોંચતા તમને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે,આ અકસ્માતમાં એક બાળકને હળવી ઈજાઓ થઈ હતી. જાણવા મળી રહયું છે કે, અકસ્માતમાં ઈજાગ્રસ્ત પરિવાર પાટણનો છે તેઓ અંબાજી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા , ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચોઃ
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત
શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે
Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!